ભાજપે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું, નોંધનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના પુસ્તકમાં રાહુલ ગાંધીને નર્વસ કહ્યા હતા, જેને લઈને ભાજપના પ્રધાનોને રાહુલ ગાંધી પર નિશાન સાધવાની તક મળી હતી. કેન્દ્રીય પ્રધાનો મુખ્તાર અબ્બાસ નકવી, ગિરિરાજસિંહે પણ રાહુલ પર નિશાન સાધ્યું હતું. તે જ સમયે, કોંગ્રેસે ઓબામાના આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
રાહુલ ગાંધી વિષે ઓબામાની ટિપ્પણીથી કોંગ્રેસ નારાજ
ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
કોંગ્રેસના નેતા તારિક અન્વરે પણ ટીકા કરી
કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, જો કોઈની મૂર્ખામીની ચર્ચા આંતરરાષ્ટ્રીય ધોરણે થાય, તો એમ કહી શકાય કે આજકાલ તેમની મૂર્ખામીની ચર્ચા દરેકના જીભ પર છે અને બધા જ સમાચાર જાણે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેઓ માત્ર આટલું જ કહી શકે છે, નહિ તો બીજું શું કહે.
I decided to unfollow @BarackObama whom i followed it from 2009 . Reason his judgment about Indian political leaders and words against them not acceptable by any true indian. Will you also unfollow him ? #BarackObama
— Manickam Tagore MP🇮🇳✋மாணிக்கம் தாகூர் (@manickamtagore) November 13, 2020
ભારતમાં જે સન્માન મળતું હતું તે વૈશ્વિક બની ગયું : ગિરિરાજ સિંહ
આ પહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું હતું કે, બરાક ઓબામા જેવા મોટા નેતાએ આ ટિપ્પણી કરી હોય ત્યારે રાહુલ ગાંધી પર વધારે ચર્ચા કરવાની જરૂર નથી. ગિરિરાજસિંહે કટાક્ષ કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી ને ભારતમાં જે સન્માન મળતું હતું તે હવે વૈશ્વિક બની ગયું છે.
નોંધનીય છે કે, અગાઉ ભાજપ ના નેતાઓ સંબિત પાત્રા, ગૌરવ ભાટિયા અને કેટલાક અન્ય નેતાઓએ આ મુદ્દે ટ્વીટ કરીને રાહુલ ગાંધી ને ટોણો માર્યો હતો.
કોંગ્રેસમાં રોષ ફેલાયો
બરાક ઓબામા ની આ ટિપ્પણી અંગે કોંગ્રેસમાં પણ ગુસ્સો છે. કોંગ્રેસના સાંસદ એમ. ટાગોરે ટ્વિટર પર બરાક ઓબામા અનફોલો કરી દીધા છે, તેમણે લખ્યું હતું કે હું 2009 થી બરાક ઓબામાને ફોલો કરી રહ્યો હતો પરંતુ હવે ફોલો કરતો નથી. કોઈ પણ ભારતીય નેતા માટે તેમના દ્વારા આવી રીતે કરાયેલી ટિપ્પણી સ્વીકાર્ય નથી.
બીજી તરફ કોંગ્રેસ ના નેતા તારિક અનવરે કહ્યું કે, બરાક ઓબામા અને રાહુલ ગાંધી વચ્ચે 8-10 વર્ષ પહેલાં એક ટૂંકી મુલાકાત થઈ હતી, એમાં અમુક મિનિટોમાં કોઈને ઓળખી શકવું ખૂબ જ મુશ્કેલ કામ છે, ત્યારથી લઈને આજ સુધીમાં રાહુલ ગાંધી ના વ્યક્તિત્વમાં ઘણું પરિવર્તન આવ્યું છે.
રાહુલ વિષે શું લખ્યું છે ?
હકીકતમાં બરાક ઓબામા એ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિશે પુસ્તકમાં લખ્યું છે, 'તેમનામાં નર્વસ અને અપરિપક્વ વિદ્યાર્થીણા ગુણો છે અને તેમણે પોતાનું હોમવર્ક કર્યું છે અને ટીચરને ઈમ્પ્રેસ કરવાની કોશિશમાં છે, જો કે ઊંડાઈથી જોતા તેમનામાં યોગ્યતાની કમી છે અને કોઈ વિષય પર પોતાનું પ્રભુત્વ મેળવવાના ઝનૂનની કમી છે.
બરાક ઓબામા ની નવી પુસ્તક 'એ પ્રોમિસ્ડ લેન્ડ' માં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કરાયો છે.