મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પછી હવે છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. આ દાવો ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી બ્રીજમોહન અગ્રવાલે કર્યો છે. બ્રીજમોહનનું કહેવું છે કે કોંગ્રેસ ડરી ગઇ છે કે મધ્ય પ્રદેશ-રાજસ્થાનમાં જે થયું, તે હવે છત્તીસગઢમાં થશે.
ભાજપના નેતા બ્રીજમહોન અગ્રવાલે કહ્યું કે રાયપુરથી લઇને દિલ્હી સુધી કોંગ્રેસ પરેશાન છે. પાર્ટીમાં કોઇ નેતૃત્વ નથી અને હાઇકમાન્ડનું કોઇ નિયંત્રણ નથી. એટલા માટે તેઓ ખોટા નિર્ણયો લઇ રહ્યાં છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તેના અસંતોષનું પરિણામ છે. તેઓ હવે ડરી ગયા છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં જે થયું, તે છત્તીસગઢમાં પણ થશે.
પૂર્વ મંત્રી બ્રીજમોહન અગ્રવાલે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોમાં અસંતોષનું કારણ રાજ્યમાં ઉતાવળમાં સંસદીય સચિવોની નિમણૂંક કરવામાં આવી છે. આ જ રીતે આયોગ, નિગમ અને મંડળમાં નિમણૂંક કરવામાં આવી રહી છે. આ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અસર છે. છત્તીસગઢમાં પ્રદેશ કોંગ્રેસ ડરી ગઇ છે. કોંગ્રેસના ધારાસભ્યોમાં ઘણો અસંતોષ છે.
They are now scared that what happened in Madhya Pradesh and Rajasthan, will happen in Chhattisgarh too: Brijmohan Agrawal, BJP and former Chhattisgarh Minister https://t.co/y6mc6l3LcV
ભાજપ નેતા બ્રીજમોહન અગ્રવાલના નિવેદન પર કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે એટલે કે એટલા રૂપિયા આવી ગયા છે, ભાજપ અને બ્રીજમોહન જી પાસે કે તેઓ જે રીતે હરાજી થાય છે, શું હરાજી કરવા બેઠા છો? ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે ભાજપ તેમની સરકાર પાડવાનો પ્રયત્ન કરી રહી છે.
#WATCH:Yani ki itna paisa aa gaya hai BJP aur Brijmohan ji ke pas ki wo jis tarah se nilami hoti hai,nilami karne baithe hain kya?:Congress' Digvijaya Singh on Chhattisgarh BJP leader Brijmohan Agrawal's remark 'They're scared of what happened in MP&Raj happening in Chhattisgarh' pic.twitter.com/f0l1KbCiF8