પૂર્વ નાણામંત્રી પી.ચીદમ્બરમની આગેવાનીમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતું. કોંગ્રેસના પ્રતિનિધિમંડળમાં ચીદમ્બરમ, ખડેગે સહિતના નેતાઓ સામેલ હતા. રાષ્ટ્રપતિની સાથેની મુલાકાતમાં કોંગ્રેસ નેતાઓએ ઈડીની રાહુલ ગાંધીની પૂછપરછ અને કોંગ્રેસના નેતાઓ સાથે થઈ રહેલા અણછાજતના વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ સંદર્ભમાં ઘટતું કરવાની વિનંતી કરી હતી.
The second memorandum is about the police atrocities on Congress leaders. We have asked the President to cause an enquiry into this and send the matter to the Parliamentary Privileges Committee: Congress leader P Chidambaram pic.twitter.com/rzJc3g8y7g
કોંગ્રેસ નેતાઓ પર પોલીસ અત્યાચાર વિશે રાષ્ટ્રપતિને વાકેફ કર્યા
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ બહાર આવેલા ચીદમ્બરમે કહ્યું કે અમે રાષ્ટ્રપતિને કોંગ્રેસના નેતાઓ પર પોલીસ અત્યાચાર વિશે વાકેફ કર્યાં હતા. તેમણે કહ્યું કે અમે રાષ્ટ્રપતિને આ અંગે તપાસ કરવા અને આ મામલો સંસદીય વિશેષાધિકાર સમિતિને મોકલવા કહ્યું છે.
On #Agnipath scheme, we've told the President that it was neither discussed with any committee nor was presented in Parliament, we said that this is a violation of our democratic rights. President has been asked to take this into consideration: Congress leader Mallikarjun Kharge pic.twitter.com/GpVq7N6yL1
Delhi | We are going to meet the President to submit a memorandum on the issues of the Agnipath recruitment scheme and police atrocities against MPs: Congress leader Mallikarjun Kharge pic.twitter.com/CV0UKbfwUo
અગ્નિપથ યોજનાની ચર્ચા ન કરાઈ, સંસદમાં પણ રજૂ ન કરાઈ-ખડેગે
કોંગ્રેસના સિનિયર નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને કહ્યું કે અગ્નિપથ યોજનાની કોઈ કમિટી સાથે ચર્ચા કરવામાં આવી નથી કે સંસદમાં તેને રજૂ પણ કરવામાં આવી નથી. અમે કહ્યું કે આ લોકશાહીય મૂલ્યોનું ઉલ્લંઘન છે. રાષ્ટ્રપતિને આ વાતની નોંધ લેવાની અમે વિનંતી કરી છે.
અગ્નિપથના વિરોધમાં કોંગ્રેસે રેલી કાઢી
કોંગ્રેસે આજે અગ્નિપથના વિરોધમાં રાષ્ટ્રપતિ કાર્યાલય સુધી રેલી કાઢી હતી. પોલીસે તેમને આગેકૂચ કરતા અટકાવ્યાં હતા.