શશિ થરૂરે કહ્યું કે એ રાહુલ ગાંધી પર નિર્ભર કરે છે કે તેઓ કોંગ્રેસ પ્રમુખના રુપે પાછા આવવા ઇચ્છે છે કે નહીં
થરૂરે કહ્યું, કેટલાક મતદાતા અન્ય રાજકીય વિકલ્પો પર વિચારવા લાગ્યા છે
શશિ થરૂરે કહ્યું કે આ રાહુલ ગાંધીની ઇચ્છા પર નિર્ભર કરે છે કે તેઓ કોંગ્રેસ પ્રમુખના રુપે પાછા આવવા ઇચ્છે છે કે નહીં. પરંતુ જો તેઓ પોતાનું ગત વલણ નથી બદલતા તો એવામાં પાર્ટીના માટે 'સક્રિય અને પૂર્ણકાલિન નેતૃત્વ' શોધવાની જરૂર છે જેથી પાર્ટી આગળ વધી શકે જેવુ કે રાષ્ટ્ર અપેક્ષા રાખે છે.
તિરુવનંતપુરમના સાંસદે થરૂરે કહ્યું કે પાર્ટીનો નિર્ણય લેનારી કોંગ્રેસ કાર્યસમિતિના કેટલાક સભ્યોની ચૂંટણીની પ્રક્રિયાથી એક એવી ઉર્જાવાન નેતૃત્વ ટીમ સામે આવશે જેની પાસે સંગઠનના પડકારને હલ કરવા માટે મળીને કામ કરવાનો અધિકાર હશે.
તેઓએ કહ્યું કે ભાજપની 'વિભાજનકારી નીતિઓ' નું કોંગ્રેસ એક રાષ્ટ્રીય વિકલ્પ છે. તેઓએ કહ્યું અમારા જેવા ઘણા લોકો માટે તાત્કાલિક ચિંતાનો વિષય છે કે એવુ લાગે છે લોકોમાં એ ધારણા વધતી જઇ રહી છે કે એક રાજકીય પાર્ટી તરીકે આપણે ડામાડોળ છીએ.
થરૂરે કહ્યું કે તેના કારણે સ્વાભાવિક રૂપે કેટલાક મતદાતા અન્ય રાજકીય વિકલ્પો પર વિચારવા લાગ્યા છે અને હાલના ઉદાહરણ દિલ્હીમાં જોવા મળ્યું કે જ્યાં મતદારો આમ આદમી પાર્ટીમાં અને કેટલાક હદે ભાજપમાં ચાલ્યા ગયા. કોંગ્રેસ શૂન્ય પર રહી. થરૂરે કહ્યું કે આ એ જ સ્થિતિ છે જ્યાં આપણે લોકોની ધારણા, મીડિયાના વલણને તાત્કાલિક દૂર કરવાની જરૂર છે કેમકે મીડિયા વારંવાર આપણાને મેદાનથી ફગાવી રહ્યું છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આમ કરવા માટે આપણે વર્તમાન નેતૃત્વનો મુદ્દો હલ કરવાની જરૂર છે. આપણે અંતરિમની વિરુદ્ધ દીર્ધકાલિન કોંગ્રેસ અધ્યક્ષ અને કાર્ય સમિતિની 'ચૂંટાયેલ સદસ્યતા' ની સાથે શરૂઆત કરવાની જરૂર છે. થરૂરે કહ્યું કે તેઓ પાર્ટીમાં આ પદો માટે સ્વતંત્ર અને પારદર્શક ચૂંટણીની પેરવી કરે છે કેમકે આવી પ્રક્રિયાથી તેમની (ચૂંટાયેલ વ્યક્તિઓની) વિશ્વસનીયતા ખૂબ જ વધશે.