લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કરારી હાર બાદ પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુર્શીદે મોટું નિવેદન આપ્યુપં છે. એમને કહ્યું કે લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સામે કોઇ ટકી શક્યું નહીં. પીએમ મોદીની સુનામીમાં બધું વહી ગયું. સંસદમાં મોદી સરકાર દ્વારા ટ્રિપલ તલાક બિલ લાવવાનો ઉલ્લેખ કરતાં એમને કહ્યું કે ટ્રિપલ તલાકને સુપ્રીમ કોર્ટ પહેલી જ પૂર્ણ કરી ચુક્યુ છે.
કોંગ્રેસ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે પીએમ મોદીને લઈનો મોટુ નિવેદન આપ્યું છે. સલમાન ખુર્શીદે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતાની સામે કોઈ ટકી શક્યુ નહીં. પીએમ મોદીની સુનામીમાં બધુ જ વહી ગયું.. ણ એક સારી વાત છે કે સુનામીમાં બધુ જ વહી ગયુ પણ કમ સે કમ અમે તો જીવીત છીએ અને તમારી સાથે વાતચીત કરી શકીએ છીએ.
ટ્રિપલ તલાક મુદ્દે કહ્યું કે, ટ્રિપલ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટે પહેલા જ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. વિશ્વમાં ટ્રિપલ તલાક ક્યાંય નથી. હિન્દુસ્તાનમાં પણ ત્રિપલ તલાક ક્યાંય નથી. દેશમાં ટ્રિપલ તલાકને ખોટી રીતે સમજવામાં આવી રહ્યું છે. તેના પર 3 વર્ષની સજા આપવામાં આવી રહી છે.
સબરીમાલા મંદિર મુદ્દે કહ્યું કે, મંદિરમાં પ્રવેશ માટે મહિલાઓને રોકવી જોઈએ નહીં. મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવો જોઈએ. મોદી સરકારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય માનવો જોઇએ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઓત પર એમને કહ્યું કે રાહુલ ગાંધી અમને બધાને છોડીને ના જાય અને તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બનેલા રહે.
Salman Khurshid, Congress: Aaj toh hum yehi jante hai chunav hua aur chunav mein PM ki lokpriyata itni thi ke uske samne koi khada nahi ho paya. Lekin ek achi baat hai ki Tsunami aaya usne sab kuch baha diya lekin kam se kam hum zinda rahe aur aapse baat toh kar sakte hai. pic.twitter.com/hoFyrHCCZh
ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ ચૂંટણી હાર્યા બાદ શનિવારે પોતાના ગૃહક્ષેત્ર ફારુખાબાદ પહોંચ્યા, જ્યાં એમને લોકોનો ધન્યબાદ કર્યો. સાથે જ પોતાના જૂના સંબંધોને વધારે મજબૂત કરવાની વાત કહી.