રાજકોટઃ ધોરાજીના ભાદર ડેમમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા લાખો લોકોના જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેમિકલના કારણે ભાદરનું પાણી ઝેરીલું બની ગયું છે. જેના કારણે લોકોના સ્વસ્થ પર અસર થઈ રહી છે. આ મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મેદાનમાં આવ્યા છે. ધોરાજીના ભાદર ડેમ-2માં પ્રદૂષીત પાણી મામલે ધારાસભ્ય લલિત વસોયાએ જળ સમાધીની ચિમકી ઉચ્ચારી છે.
જળસમાધિ પહેલા લલિત વસોયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે કેટલીક કંપનીએ દ્વારા ડેમમાં પાણી છોડવામાં આવે છે. જેના કારણે ખેડૂતો આ પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરી શકતા નથી. સાથે જ આ પાણીના કારણે સ્થાનિકોને ચામડીના રોગ પણ થયા છે. ચામડીના રોગના કારણે સ્થાનિકોને હાલાકીનોસામનો કરવો પડી રહ્યો છે. ં
આ મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. ત્યાર બાદ પણ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા જળસમાધિ લેવાની ચીમકી ઉચ્ચારી હતી. જળ સમાધિની ચીમકી બાદ પણ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર દ્વારા માત્ર મોટા ઉદ્યોગપતિઓની મદદ કરવા માટે ગરીબ લોકોને નિશાન બનાવવામાં આવશે.
હાર્દિકે પણ મારી સાથે જળ સમાધિની જાહેરાત કરી છે: વસોયા
કેમિકલ છોડતા કંપનીઅોના પુરાવા આપ્યા છેઃ વસોયા
કલેક્ટર સાથે આવે તો હકીકત બતાવવા હું તૈયાર છું: વસોયા
ચામડીના દર્દથી અસંખ્ય લોકો પીડાઇ રહ્યાં છે: વસોયા
ગ્રામ્ય વિસ્તારોમાં ચામડી અને કેન્સરના રોગનુ પ્રમાણ વધ્યુ: વસોયા
મેડિકલ રિપોર્ટમાં પણ પાણીથી ચામડીના રોગ થયાનું આવ્યુ સામે: વસોયા
સરકાર માત્ર ઉધોગપતિઓના લાભ આપે છે: વસોયા
15 જગ્યાએથી એકમો દ્વારા છોડાઇ રહ્યું છે કેમિકલયુક્ત પાણી: વસોયા
પ્રદૂષણ દુર કરી લોકોને પાણી આપવાની અમારી માગ છે: વસોયા
જેતપુર પ્રદુષણ બોર્ડ નાના એકમોને તાળા મારી હેરાન કરે છે: વસોયા
લાગવગના જોરે મોટા મગરમચ્છો બચી જાય છે: વસોયા
નિર્દોષ લોકોને ક્લોઝર નોટિસ આપી તંત્ર સંતોષ માને છે: વસોયા
જળસમાધિ માટે કોનું સમર્થન?
ભાદર ડેમમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જળસમાધિ લેવાની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે હવે લલિત વસોયાના સમર્થનમાં 11 ધારાસભ્યો આવ્યા છે. લલિત કગથરા પરસોત્તમ સાબરિયા બ્રિજેશ મેરેજા ચિરાગ કલારિયાસ પ્રવિણ મુછડિયા વલ્લભ ધારવિયા જે.વી.કાકડિયા હર્ષદ રીબડિયા ભીખાભાઈ જોષી બાબુભાઈ વાજા અને પ્રતાપ દુધાત પણ આ દરમિયાન હાજર રહેશે.
હાર્દિક પટેલે પણ જળસમાધિમાં હાજરી આપવાની જાહેરાત
આ ઉપરાંત પાસના કન્વીનર હાર્દિક પટેલે પણ જળસમાધિમાં હાજરી આપવા માટેની પણ જાહેરાત કરી છે. ત્યાર બાદ તેમણે પાણીમાં તરતા વિશે જણાવ્યુ કે આ જળસમાધિમાં હું તો તરી નહી પરંતુ બીજા લોકોને જરૂરથી ડુબાડીશ. વધુમાં તેમણે કહ્યુ કે આ કોઈ રાજકિય લડત નથી. માત્ર મારા મતના સ્થાનિકો માટે હું લડી રહ્યો છું. અને તેમણે કેબિનેટ મંત્રી પર પ્રહાર કરતા કહ્યુ કે કેબિનેટ મંત્રીના વિસ્તારના કારણે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી.
જો કે લોકોની વધતી મુશ્કેલી અંગે ધારસભ્ય પહેલા જ રજૂઆતો કરી ચૂક્યા છે. પરંતુ આજ દિવસ સુધી કોઈપણ પ્રકારનું પ્રદૂષણ કચેરી દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. આ પહેલા જ લલિત વસોયાએ પ્રદુષણ કચેરીની મુલાકાત લઈ અધિકારીઓનો ઉધડો લીધો હતો. આ કેમિકલ ઠાલવતી ફેક્ટરીઓ બંધ કરાવવા માટે રજૂઆત કરી હતી. સાથે જ પ્રદુષણ પર નિયંત્રણ નહીં આવે તો જળસમાધિની ચીમકી પણ ઉચ્ચારી હતી.
મહત્વનું છે કે સિઝનના પહેલા વરસાદના પાણી ડેમમાં આવતા જ હવામાં બરફની જેમ સફેદ ફીણ ઉડવા લાગ્યું હતું. આ દ્રશ્યો સામે આવતા જ લોકો હેરાન થઈ ગયા હતા. જે બાદ આ અંગે વીટીવીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે પાણીમાં કેમિકલ ભળતા ટોક્સીક ફોમ તૈયાર થયું હતું. જેના કારણે કેમિકલ ફીણ બની હવામાં ઉડી રહ્યું હતુ. ડેમના પાણીમાં ઝેર ફેલાયું હતું.