ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત પહેલા ચીન દ્વારા જમ્મૂ-કાશ્મીર મુદ્દા પર નિવેદન આપવામાં આવ્યું. ચીન પ્રવાસે પહોંચેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ઉપસ્થિતિમાં ચીને જમ્મૂ-કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું પાલન કરવાની વાત કહી. આ નિવેદનને લઇને ભારતમાં વિવાદ થયો છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ આ મામલે કેન્દ્ર સરકારને સવાલ કરતાં કહ્યું કે કેમ ભારત ચીન સાથે તિબ્બેત, હોંગકોંગને લઇને વાત નથી કરતું.
જમ્મૂ-કાશ્મીરમાં ચીનના નિવેદન પર ભડકી કોંગ્રેસ
મનીષ તિવારીએ ટવિટ કરી સરકારને પૂછ્યો સવાલ
હોંગકોંગ, તિબ્બેત મુદ્દા પર ઘેર્યું ચીન
કોંગ્રેસે ભારત સરકારને જવાબ આપવા કહ્યું
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટવિટ કરી જણાવ્યું કે જો શી જિનપિંગ કહી રહ્યાં હોય કે તેમની નજર જમ્મૂ-કાશ્મીર પર છે, તો પ્રધાનમંત્રી અથવા વિદેશ મંત્રાલય કેમ નથી કહેતું કે ભારત હોંગકોંગમાં થઇ રહેલા લોકશાહીને લઇને પ્રદર્શનને જોઇ રહ્યું છે, શિંજિયાંગમાં થઇ રહેલા માનવાધિકારનું ઉલ્લંઘન, તિબ્બતની પરિસ્થિતિ અને દક્ષિણ ચાઇના પર ચીનની દખલ પર ભારત નજર રાખી રહ્યું છે.
Xi Jingping says he is watching Kashmir but why does @PMOIndia/MEA not say 1)We are watching Pro Democracy protests muzzled in Hong Kong. 2 )We are watching human rights violations in Xinjiang. 3 )We are watching continued oppression in Tibet 4 )We are watching South China Sea
રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત પ્રવાસ પહેલા ચીનને જમ્મૂ-કાશ્મીરને લઇને આપેલા નિવેદન પર પલટયું છે. ગત દિવસોએ ચીન તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે જમ્મૂ-કાશ્મીર મુદ્દાને લઇને ભારત-પાકિસ્તાને મળીને ઉકેલ લાવવો જોઇએ. પરંતુ ઇમરાન ખાનની મુલાકાત દરમિયાન ચીને પોતાના નિવેદન પર યૂ-ટર્ન મારતાં કહ્યું કે જમ્મૂ-કાશ્મીર મુદ્દે ચીનની નજર છે. જોકે ચીનની આ ટીપ્પણી પર ભારતે વિરોધ દર્શાવતાં કહ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે, જેમાં બીજા કોઇ દેશ ટીપ્પણી ન કરે.
ભારત ચીનને બતાવે અરીસો?
એકબાજુ ચીન જમ્મૂ-કાશ્મીર પર નજર રાખવાને લઇને નિવેદન આપી રહ્યું છે, જ્યારે બીજી તરફ હોંગકોંગમાં લોકશાહીને ચાલી રહેલા પ્રદર્શનને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જ્યારે ઉઇગર મુસલમાનોનો અવાજ પણ ચીન દબાવી રહ્યું છે, જેની પર દુનિયાની નજર છે.