અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ કોંગ્રેસ પોતાની મજબૂત વોટબેંકને તૂટતી બચાવવા માટે ધમપછાડા કરી રહી છે. ઠાકોર સમાજમાં પોતાનો ગઢ જાળવી રાખવા કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના ધારાસભ્યોને કોંગ્રેસે જવાબદારી સોંપી છે અને ઠાકોર સમાજના સ્થાનિક આગેવાનોને કોંગ્રેસ પ્રમોટ કરશે.
અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ હવે અલ્પેશની ખોટ પુરવા માટે કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના ધારાસભ્યોને કોંગ્રેસે જવાબદારી સોંપી છે. ઠાકોર સમાજના સ્થાનિક આગેવાનોને કોંગ્રેસ પ્રમોટ કરશે.
જેમાં કોંગ્રેસે ઠાકોર સમાજના મજબૂત આગેવાનોનો સંપર્ક પણ સાધવાનું શરૂ કરી દીધું છે. તેના માટે બનાસકાંઠામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાના ઠાકોર સમાજના મતદારો અંગે જવાબદારી સોંપવામાં આવી છે. તો બીજી તરફ પાટણની જવાબદારી સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરને સોંપવામાં આવી છે. જેમાં કોંગ્રેસ સ્થાનિક આગેવાન અભુજી ઠાકોર અને પોપટજી ઠાકોરને પ્રમોટ કરી શકે છે.
તો બીજી તરફ કાંકરેજ તાલુકાની જવાબદારી પૂર્વ ધારાસભ્ય ધારશી ખાનપુરાને સોંપવામાં આવી છે. તો આ સાથે મહેસાણા અને સાબરકાંઠા બેઠક પર પણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ દરમિયાન અલ્પેશ ઠાકોરને ઠાકોર સમાજથી દૂર રાખવાનો પણ પ્રયાસ કરવામાં આવી શકે છે.
અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ કોંગ્રેસ પોતાની મજબૂત વોટબેંકને તૂટતી બચાવવા માટે ધમપછાડા કરી રહી છે. મહત્વનું છે કે ઠાકોર સમાજ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે અલ્પેશ ઠાકોરે રાધનપુરના ધારાસભ્ય પદ સહિત કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું દીધું છે. જેને લઈને હવે કોંગ્રેસ પણ ઠાકોર સમાજના મતદારોના મત મેળવવા માટે એક્શનમાં આવી ગઈ છે.