બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Complaint against 15 including SP policeman and doctors in Chotaudepur beating case
Kishor
Last Updated: 06:57 PM, 19 March 2023
છોટાઉદેપુરમાં સગીરને માર માર્યા કેસમાં છોટાઉદેપુર પોલીસવડા સહિત 15 સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ફરિયાદમાં SP અને SP કચેરીના તમામ સ્ટાફ સહિત 15 સામે રાવ કરાઈ છે. જેને પગલે કોર્ટે ગાંધીનગર CIDને તપાસ કરવા આદેશ જારી કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે છોટાઉદેપુરના જબુગામ ખાતે હત્યાના કેસમાં ફરિયાદી પિતા અને તેના સગીર વયના પુત્રને પૂછપરછ માટે લવાયા હતા. આ દરમિયાન પિતા પુત્રે કાબુલાત ન આપતા આડેધડ માર મારવામા આવ્યો હતો. આ અંગે ખોટી રીતે માર માર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહી પોલીસના મારથી સગીરને પેરાલિસિસ થયું હોવાનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. જેને પગલે ખળભળાટ મચી ગયો છે.
શું હતો સમગ્ર મામલો ?
આ કેસની ફરિયાદમાં જણાવ્યા મુજબ વિગત અનુસાર ગત તારીખ 6 નવેમ્બરના રોજ છોટાઉદેપુરના જબુગામ ખાતે દલાજી વણઝારાને 50 લાખની ખાંડણી બાબતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં ફરિયાદી અને તેના સગીર વયના દીકરાની સંડોવણી હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા બંનેની પૂછપરછ માટે પોલીસ મથકે ગયા હતા. આ દરમિયાન એલસીબી ઓફિસે પૂછપરછ કરવામાં આવી હતી. જે વેળાએ જિલ્લા પોલીસ વડા પણ ત્યાં પહોંચ્યા હતા અને જ્યાં સુધી હત્યાનો ગુનો ન કબૂલે ત્યાં સુધી માર મારવાની સૂચના આપી હતી.
સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરને તપાસ માટે આદેશ કર્યા
ત્યારબાદ પોલીસ સ્ટાફે ઢોર માર મારતા સગીર વયના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઈને તેને છોટાઉદેપુર ખાતે આવેલ મેડિટોપ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતાં વડોદરાની વિન્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં પણ પૂરી સારવાર ન આપી હોવાની રાવ ઉઠી છે. બાદમાં વડોદરાની આદિકયુરા હોસ્પિટલમાં ખસેડાયો હતો. 10 દિવસની સારવાર બાદ ઘરે મોકલાયો હતો પણ અહીં બીલ બાબતે માથાકૂટ થઈ હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. બાદમાં પોલીસ કર્મી અને અધિકારીઓ ઉપરાંત જુદી જુદી હોસ્પિટલોના તબીબ સામે બાળ અદાલતમાં ફરીયાદ નોંધાઇ હતી. આથી બાળ અદાલતે સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરને તપાસ માટે આદેશ કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા