WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્ય સ્વામીનાથને કોવિડ 19 મહામારી પર ભારતની સફળતાના વખાણ કર્યા, સાથે સાથે આશા વ્યક્ત કરી છે કે ભારતમાં કોરોના વિરુદ્ધ વેક્સીન શોધવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીશું.
ICMRના મહાનિદેશક રહી ચુકેલા સૌમ્યા સ્વામીનાથને ભારતના પ્રયત્નોના વખાણ કર્યા
સૌમ્યા સ્વામીનાથન હાલ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક છે
એમને આશા વ્યક્ત કરી છે કે ભારત કોરોના વિરુદ્ધ વેક્સીન તૈયાર કરવામાં મોટી ભૂમિકા નિભાવશે
WHOની મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્ય સ્વામીનાથન કોરોના વાયરસના સંક્રમણ પર મજબૂત નિયંત્રણ રાખવા ભારતના વખાણ કર્યા છે. સ્વામીનાથને આશંકા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસનો પ્રકોપ ઘણા મહિના અને શક્ય છે વર્ષો સુધી રહે, સાથે જ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ભારત કોવિડ 19 માટે વેક્સીન બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
વર્ષો સુધી સામનો કરવો પડી શકે છે કોરોનાનો પ્રકોપ
સ્વામીનાથને આશંકા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસના પ્રકોપથી કદાચ વર્ષો સુધી છુટકારો મળશે નહીં. એમને કહ્યું કે સમગ્ર દુનિયાને 'આવનાર મહિનાઓ અને શક્ય છે કે વર્ષો સુધી' સંક્રમણના પ્રસાર માટે તૈયાર રહેવું પડશે. એમને કહ્યું કે માત્ર દવા વિકસિત કરી લેવી અને એનું પરીક્ષણ જ નહીં પરંતુ એનું નિર્માણ, એને પ્રાપ્ત કરવું અને મોટી આબાદી સુધી એને સુલભ કરાવવા માટે સ્વાસ્થ્ય તંત્રનું હોવું પણ મહત્વપૂર્ણ છે.
એક વર્ષમાં દવા તૈયાર કરવાનો લક્ષ્ય
એમને કહ્યું, 'અમારા માટે વાસ્તવમાં આ જન સ્વાસ્થ્ય દેખરેખ, પ્રાથમિક સ્વાસ્થ્ય દેખભાળ કેન્દ્ર અને સ્વાસ્થ્ય કર્મીઓની સંખ્યાને મજબૂત કરવાનો સમય છે.' એમને કહ્યું દવાના વિકાસમાં ભારત મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. ભારત જો એની પ્રકિયાનો ભાગ નહીં હોય તો દુનિયામાં દરેક લોકો માટે પૂરતી દવા નહીં થાય. એમને કહ્યું કે દવા એક વર્ષમાં તૈયાર કરવાનો લક્ષ્ય છે. શક્ય છે કે એનાથી ઓછા સમયમાં પણ દવા બને.
ICMRના મહાનિદેશક રહી ચુક્યા છે સૌમ્યા
WHO પ્રમાણે સોમવાર સુધી કોવિડ 19ના 39,76,043 કેસ હતા જ્યારે એના કારણે અત્યાર સુધી 2,77,708 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં પણ કોવિડ-19થી 2200 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 67 હજારથી વધારે લોકો સંક્રમિત છે.