'એક સૈનિક આખી જિંદગી એક સૈનિક રહે છે.' આ વાક્ય મિલિટરી કલ્ચરમાં ખૂબ પ્રખ્યાત છે. જો તમે કર્નલ પૃથ્વીલસિંહ ગિલ (રીટા.) સાથે ક્યારેય હાથ મિલાવશો તો તમને ખ્યાલ આવશે કે શા માટે આવું કહેવામાં આવે છે.
ઉંમરના 100માં પડાવ પર ઉભેલા આ બીજા વિશ્વયુદ્ધના સૈનિકનો જુસ્સો આજે પણ એવો જ છે જેવો 1942માં રોયલ ઈન્ડિયન એરફોર્સમાં કેડેટ તરીકે જોડાતી વખતે હતો. જો તેમને તેમના પિતાનો ડર ન હોત તો તેઓ કદાચ એરફોર્સમાં જ રહેત. પરંતુ નસીબના એવા વળાંકો કે તેઓ એરફોર્સથી નેવીમાં ગયા અને ત્યાંથી આર્મીમાં.
જયારે રીટાયર થયા ત્યારે દેશના એકમાત્ર એવા અધિકારી બની ગયા જેમણે સેનાની ત્રણેય પાંખોમાં સેવા આપી હોય. 1965નું ભારત પાકિસ્તાન યુદ્ધ હોય કે જમ્મુ કાશ્મીર અને પંજાબની બોર્ડર, કર્નલ પૃથીપાલ બધાના સાક્ષી રહ્યા છે. પૂર્વોત્તરની પહાડી વિસ્તારના જંગલોમાં પણ તેમણે ઘણા વર્ષો ગુજાર્યા. આજે તેઓ તેમનો 100મો જન્મદિન ઉજવી રહ્યા છે.
THE ONLY OFFR TO SERVE IN THE INDIAN NAVY, AIR FORCE&ARMY turns 100. ALSO COMMANDED AR SECTOR (PMF).
Col Prithipal Singh Gill (without family consent) joined the Royal Indian Air Force and was commissioned as Pilot Officer stationed at Karachi, flying Howard aircrafts. 1/2.. pic.twitter.com/HRHsTtF2B0
કર્નલ પૃથીપાલ સિંહ ગિલે (રીટા.) બ્રિટીશ રોયલ ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ તરીકે લશ્કરી જીવનની શરૂઆત કરી. તેઓ કરાચીમાં ફ્લાઇટ કેડેટ હતા. ત્યાં એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયા પછી તેમણે પિતાના ડરથી પાછા ફરવું પડ્યું. પિતાને લાગતું કે તેઓ હવાઈ દુર્ઘટનામાં મરી જશે. સિંઘ કહે છે કે તેમના પિતા પણ સૈન્યમાં કેપ્ટન રહી ચૂક્યા હતા. જ્યારે વાયુસેના સાથેનો સંબંધ તૂટી ગયો, ત્યારે સિંઘ નેવીમાં જોડાયા.
23 વર્ષની ઉંમરે ભારતીય નૌકાદળનો ભાગ બન્યા
માત્ર 23 વર્ષની ઉંમરે ભારતીય નૌકાદળનો ભાગ બન્યા અને 1943 થી 1948 દરમિયાન સેવાઓ આપી. પછી સરકારી એજન્સીનો ભાગ બન્યા. એપ્રિલ 1951માં ભારતીય સૈન્યની આર્ટિલરી રેજિમેન્ટનો ભાગ બન્યા.
1970માં નિવૃત્તિ લીધી
1965માં ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધ શરૂ થતાં સિંઘ સૈન્યમાં ગનર ઓફિસર હતા. મણિપુરમાં, તેઓ આસામ રાઇફલ્સના સેક્ટર કમાન્ડર તરીકે નિવૃત્ત થયા. કર્નલના પદ પર પહોંચ્યા પછી તેમણે 1970 માં નિવૃત્તિ લીધી.
Col Prithipal Singh Gill (retd.), the only officer to serve in Indian Air Force, Indian Navy, and Indian Army (Artillery), turns 100. He served during World War-II and the 1965 India-Pakistan War
ફીલ્ડ માર્શલ સેમ માણેક શો સાથે વિતાવેલો સમય યાદ કરે છે
1965ના યુદ્ધમાં કર્નલ પૃથીપાલ 71 મીડિયમ રેજિમેન્ટનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે કહ્યું, 'પાકિસ્તાનીઓએ યુદ્ધ દરમિયાન અમારી એક બંદૂકની બેટરી ચોરી લીધી હતી. પરંતુ અમે તેમની પાછળ ગયા અને તેને પાછી લઈ આવ્યા. એક ગનર માટે તેની બંદૂક સૌથી પવિત્ર છે તેને છોડી શકાતી નથી."
કર્નલ પૃથીપાલ તેમનો ફીલ્ડ માર્શલ સેમ માણેક શો સાથે વિતાવેલો સમય યાદ કરે છે. તે ત્યારે ઇમ્ફાલમાં સેક્ટર કમાન્ડર હતા અને ત્યાં જ તેમની સેમ સાથે મુલાકાત થઇ. બંને મળ્યા.બંને મળીને શિકાર ઉપર જતા. કર્નલ પૃથીપાલનો ઉત્સાહ 100 દિવાળીઓ જોયા પછી પણ ઓછો થયો નથી, તે ચંદીગઢના વહીવટને માર્ગ પર લાવવાના કાર્યમાં લાગેલા છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે તેમની ઇમારતોમાં ફરજીયાત સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની અરજી પર વહીવટીતંત્રને નોટિસ આપી છે