બેરોજગારીની સૌથી વધુ અસર હરિયાણામાં દેખાઈ રહી છે. ઓગસ્ટમાં અહી બેરોજગારી દર 33.5 ટકા જેટલી હતી અર્થાત રાજ્યનો દર ત્રીજો વ્યક્તિ અહી બેરોજગાર છે. હરિયાણા એક ખેતીપ્રધાન રાજ્ય છે, જ્યાં વધતી બેરોજગારી ગામડાઓમાં પણ રોજગાર નહીં મળી શકવાનું સંકટ દર્શાવી રહી છે.
કોવિડ કટોકટીમાં એક નવું સંકટ ઉમેરાયું
અનલોક છતાં બેરોજગારીના દરમાં વધારો
હજુ વધી શકે છે બેરોજગારી સંકટ, નિષ્ણાતોનો અભિપ્રાય
કોરોના સંકટમાં હાલમાં બેરોજગારીનું એક નવું સંકટ ઉમેરાયું છે. ઓગસ્ટ માસમાં સંગઠિત ક્ષેત્રે રોજગારી ઘટયા બાદ ગ્રામીણ ક્ષેત્રે પણ ખેતીના કામમાં મંદી હોવાથી બેરોજગારી વધી હોવઅનુ સ્પષ્ટ થયું છે. દેશમાં હાલમાં આ દરમાં વધારો થયો છે, જુલાઈમાં તે 7. 43 ટકા હતી જે ઓગસ્ટમાં 8.35 ટકા થઈ ગઈ છે.
અનલોક છતાં અર્થતંત્રમાં તેજી નથી
તેનાથી સ્પષ્ટ છે કે અનલોક કર્યા છતાં પણ હાલમાં દેશમાં અર્થતંત્રની સ્થિતિ પૂર્વવત થઈ શકી નથી. હાલમાં બેરોજગારીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રિપોર્ટ દર્શાવે છે કે શહેરી ક્ષેત્રે દર 10મો વ્યક્તિ રોજગાર ધરાવતો નથી, જે દર પ્રમાણે 9.83 બેરોજગારી ધરાવે છે, જ્યારે ગામડાઓમાં પણ સ્થિતિ બહુ સારી નથી, અહી બેરોજગારી દર 7.65 ટકા નોંધાઈ છે. CMIEના 1 સપ્ટેમ્બરના રોજ જાહેર થયેલા આંકડાઓમાં આ તથ્યો સ્પષ્ટ થયા હતા.
ગામડાઓમાં વધી રહ્યું છે સંકટ
જુલાઇમાં શહેરોમાં આ દર 9.15 ટકા હતી, જ્યારે ગામડાઓમાં બેરોજગારીનો આંકડો 6.66 ટકા જેટલો હતો. સ્પષ્ટ છે કે બંને ક્ષેત્રે બરોજગરીમાં વધારો નોંધાયો છે. નોંધનીય છે કે હાલમાં જ પ્રથમ GDPના પ્રથમ ક્વાર્ટરના આંકડાઓ પણ જાહેર થયા હતા, જેમાં 23.9 ટકાનો અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો હતો. માર્ચમાં જ્યારે લોકડાઉન લાગૂ કરાયું હતું તે સમયે આ દર 8.75 હતી જ્યારે શહેરોમાં તે સમયે બેરોજગારી 9.41 ટકા અને ગામડાઓમાં 8.44 ટકા નોંધાઈ હતી.
કયા રાજ્યો થયા સૌથી વધુ પ્રભાવિત ?
હરિયાણા ખેતી પ્રધાન રાજ્ય છે અને ત્યાં બેરોજગાઋ ગ્રામીણ સેક્ટર પર સંકટ સૂચવી રહી છે જ્યારે કે તેના પછી બીજા ક્રમે ત્રિપુરા રાજ્ય આવે છે, જ્યાં બેરોજગારી સૌથી વધુ નોંધાઈ છે. આ 27.9 ટકા જેટલી હતી. કર્ણાટકમાં આ સૌથી ઓછી એટલે કે 0.5ટકા જ નોંધાઈ છે. જો કે નિષ્ણાતો માને છે કે હાલમાં આ આંકડાઓનું જાહેર થવું ચિંતાજનક છે. હાલમાં જ્યારે મોટાભાગની આર્થિક ગતિવિધિઓ સહૃ થઈ ચૂકી છે ત્યારે નોકરીઓમાં હજુ સંકટ હોવાથી બેરોજગારી વધી શકે છે.