ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને રામ ભક્તિમાં લીન રહેવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે રામ ભક્તિમાં લીન રહો. ટુંક સમયમાં જ મોટી ખુશખબરી મળવાની છે. કથાકાર મોરારી બાપૂના મંચ પરથી જ્યારે યોગીએ આ વાત કરી તો ખુબ તાળીઓ વાગી.
રામ ભક્તિમાં લીન રહો, ટુંક સમયમાં જ મોટી ખુશખબરી મળવાનીછેઃ યોગી
ટુંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર નિર્ણય આવવાનો
યોગી આદિત્યનાથ પાંચ દિવસ સુધી ગોરખનાથ મંદિરથી સરકાર ચલાવશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આશા છે કે રામ મંદિર પર ટૂંક સમયમાં જ મોટા સમાચાર મળી શકે છે. યોગીએ રામ મંદિરનું નામ લીધા વિના મોરારી બાપૂની રામકથામાં શ્રદ્ધાળુઓને કહ્યું કે શ્રીરામ આપણા સૌના શ્વાસમાં વસેલા છે. રામકથાથી રામ મંદિરને જોડતા યોગીએ ઇશારામાં કહ્યું કે ટુંક સમયમાં મોટી ખુશખબરી મળવાની છે. જોકે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર નિર્ણય આવવાનો છે, એટલા માટે યોગીની આ આશાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ગોરખપુરમાં આયોજિત શ્રી રામકથા
મુખ્યમંત્રીએ શનિવારે શ્રદ્ધેય મહંત અવૈધનાથજી મહારાજની સ્મૃતિમાં ગોરખપુરમાં આયોજિત શ્રી રામ કથામાં સામેલ થવા પહોંચ્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે કેટલાક દિવસો પહેલા મગહરમાં મોરારી બાપૂએ રામકથાનું આયોજન કર્યું હતું, ત્યારે ભક્તોને ત્યાં અપીલ કરી હતી કે રામકથા ગોરખપુરમાં થાય.
સીએમ યોગીએ કહ્યું કે મોરારી બાપૂએ બાબા ગોરખનાથની ભૂમિ પર શ્રી રામકથાના આયોજનનો સંકલ્પ લીધો છે અને અમે સૌ ભાગ્યશાળી છીએ કે આ મોકો શરદ નવરાત્રિના અવસરે મળ્યો છે. સીએમએ કહ્યું કે કથા શરૂ થતા પહેલા હું હવામાન અને વ્યવસ્થાઓને લઇને ખુબ ચિંતિત હતો અને તેને લઇને મેં વ્યવસ્થાઓમાં સામેલ લોકો સાથે પણ વાત કરી.
મહત્વનું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી પાંચ દિવસ સુધી ગોરખનાથ મંદિરમાં રહેશે. બુધવારની સવારે તેઓ લખનૌ માટે રવાના થશે.
યોગી આદિત્યનાથ પાંચ દિવસ સુધી ગોરખનાથ મંદિરથી સરકાર ચલાવશે
મંદિર સંચાલન દ્વારા મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી પાંચ દિવસ સુધી મંદિરમાં નિવાસ કરશે. આ વચ્ચે તેઓ આઠમે મહાનિશાની પૂજા કરશે. નવમીના દિવસે કન્યા પૂજન કરશે અને ભોજનનો કાર્યક્રમ થશે. તેઓ કુંવારી કન્યાઓનું પૂજન કરવાની સાથે તેમને ભોજન કરાવશે અને દક્ષિણા આપીને વિદાય કરશે.
દશમીના દિવસ સૌથી પહેલા તિલક થશે જેમાં ભક્તો તેમને તિલક લગાવશે અને તે ભક્તોને તિલક લગાવે છે. ત્યાર બાદ સાંજે મંદિરથી ભવ્ય શોભા યાત્રા નિકળશે. જે માનસરોવર મંદિર જશે
ત્યાં ભગવાન શિવના દર્શન કર્યા બાદ પીઠાધીશ્વર રામલીલા મેદાનમાં જઇને ભગવાન રામનો રાજ્યાભિષેક કરશે. બાદમાં તેમનું જુલૂસ મંદિર આવશે. ત્યારબાદ બીજા દિવસે તેઓ લખનૌ માટે રવાના થઇ જશે.