ગાંધી જયંતિનાં પૂર્વ સંધ્યા પર યોગી આદિત્યનાથનું સાવરકરને લઈને આપવામાં આવેલ નિવેદન ખૂબ ચર્ચામાં છે અને વાયરલ થઈ રહ્યું છે.
ગાંધી જયંતીના આગલા દિવસે યોગીની નિવેદન ચર્ચામાં
સાવરકર સાથે કરવામાં આવ્યો અન્યાય: સીએમ યોગી
સાવરકરનું માન્યું હોત તો દેશનું વિભાજન ન થયું હોત: સીએમ યોગી
સીએમ યોગી ફરી ચર્ચામાં આવ્યા
યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કહ્યું જો વિનાયક દામોદર સાવરકરની વાત માની લેવામાં આવી હોત તો દેશના ટુકડા ન થયા હોત, દેશમાં જાણીજોઈને તેમને સન્માન આપવામાં આવ્યું નહીં.
વીર સાવરકરનાં ગુણ ગાયા
નોંધનીય છે કે યોગી એક પુસ્તકના વિમોચનમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે કહ્યું સાવરકર ભારત માતાના સાચા સપૂત હતા અને દેશ માટે બે બે વાર કારાવાસમાં ગયા. મારા પૂજ્ય દિગ્વિજયનાથજી હિન્દુ મહાસભાનાં અધ્યક્ષ હતા અને વીર સાવરકરનો તેમની સાથે ખૂબ સારો સંબંધ હતો.
સાવરકરનું માન્યું હોત તો દેશનું વિભાજન ન થયું હોત: સીએમ યોગી
સીએમ યોગીએ કહ્યું ઈતિહાસમાં વીર સાવરકર સાથે ન્યાય કરવામાં આવ્યો નહીં. આજે ભારત જે વિચારો પર ચાલી રહ્યો છે તે જ વિચારો તેમણે 100 વર્ષ પહેલા જ ઉઠાવ્યા હતા. સાવરકરની વાત માની હોત તો આ દેશનું ક્યારેય વિભાજન ન થયું હોત અને દેશ ક્યારેય આતંકવાદની ઝપેટમાં ન આવ્યું હોત.
સીએમ યોગીએ કહ્યું કે 2004માં જે લોકો વીર સાવરકરનો વિરોધ કરી રહ્યા હતા તે જ લોકોએ દેશની સર્વોચ્ચ અદાલતમાં કહ્યું હતું કે ભગવાન શ્રી રામ તો કાલ્પનિક છે. વીર સાવરકર મહાન હતા અને તેમની મહાનતા શબ્દોની મોહતાજ નથી.