ગોરખપુરની ચાર દિવસીય મુલાકાતે ગયેલા CM યોગીએ સમાજવાદી પાર્ટી પર આકરાં પ્રહાર કર્યા હતાં
CM યોગીએ ચાર દિવસીય મુલાકાતે માટે ગોરખપુર પહોંચ્યા
CM યોગીએ સમાજવાદી પાર્ટી પર આકરાં પ્રહાર કર્યા હતાં
યુપીમાં ડબલ એન્જિન સરકાર તરફથી રાહતનો ડબલ ડોઝ મળે છે
#WATCH Uttar Pradesh CM Yogi Adityanath had lunch at the residence of Amritlal Bharti in Gorakhpur
"I want to thank Bharti who belongs to Scheduled Caste community for inviting me for 'Khichri Sahbhoj' on the occasion of #MakarSankranti today," the CM says pic.twitter.com/SSIhWglyQE
જેમના DNAમાં ભ્રષ્ટાચાર છે તેઓ સામાજિક ન્યાય માટે નથી લડી શકતા - CM યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જેઓ વંશવાદ અને પરિવારવાદની રાજનીતિ કરે છે તેઓ સામાજિક ન્યાયના સમર્થક ન હોઈ શકે. જેમના જીન્સ ભ્રષ્ટાચારનો ભાગ છે તેઓ સામાજિક ન્યાય માટે લડી શકતા નથી. ભાજપે સામાજિક સમરસતા અને ન્યાયની લડાઈ લડી છે. સામાજિક ન્યાય એ છે કે સરકારની યોજનાઓનો લાભ દરેક ગરીબ, દરેક વર્ગના લોકોને મળવો જોઈએ, તેમની સાથે કોઈ સામાજિક-આર્થિક ભેદભાવ ન હોવો જોઈએ. અને, આ ભાજપનો મૂળ મંત્ર છે.
CM યોગી શુક્રવારે ગોરખપુરમાં મીડિયા સાથે વાતચીત કરી
સીએમ યોગી શુક્રવારે ગોરખપુરમાં દલિતના ઘરે ભોજન પછી મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે તેઓ આ દલિત વસાહતમાં સુશાસન અને વિકાસનો સંદેશ આપવા અને અસ્પૃશ્યતાની ભાવનાને સંપૂર્ણપણે દૂર કરવાના સંકલ્પને પૂર્ણ કરવા આવ્યા છે. સમાનતાવાદી સમાજની સ્થાપના, ભ્રષ્ટાચાર મુક્ત, ગુનામુક્ત વ્યવસ્થા એ સુશાસનનો એક ભાગ છે.
યુપીમાં ડબલ એન્જિન સરકાર તરફથી રાહતનો ડબલ ડોઝ મળે છે
તેમણે કહ્યું કે, છેલ્લાં 5 વર્ષમાં સરકારે PM મોદીના માર્ગમાં લાગુ કરાયેલી કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક ગામ, દરેક ગરીબ, દરેક ખેડૂત, મજૂર, મહિલા, યુવાનો સુધી ભેદભાવ વિના પહોંચાડ્યો છે. આજે તેનું પરિણામ એ આવ્યું છે કે રાજ્યમાં 45 લાખ ગરીબોને ઘર મળે છે, 2.61 કરોડ ગરીબોના ઘરમાં શૌચાલય બન્યા છે. કોઈપણ દલિત બસ્તીમાં જાવ, તમને બધું જ દેખાશે. કોરોના મહામારી દરમિયાન લોકોને મફતમાં ડબલ રાશન આપવામાં આવી રહ્યું છે, આ ડબલ એન્જિન સરકાર તરફથી રાહતનો ડબલ ડોઝ છે. આ બધું સામાજિક ન્યાયનો ભાગ છે. સીએમ યોગીએ કહ્યું કે જો સમાજવાદી પાર્ટીની સરકાર પર નજર કરીએ તો તેણે પાંચ વર્ષમાં માત્ર 18 હજાર ઘર આપ્યા હતા. ગરીબોના ઘરો કબજે કરવામાં આવ્યા, જમીનો પર કબજો કરવામાં આવ્યો. જો આ સામાજિક સમરસતા હોય તો હું તેનો વિરોધ કરું છું.