ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યુ છે ત્યારે વિધાનસભા ગૃહમાં CM રૂપાણીએ કેટલાક મહત્વના નિવેદનો આપ્યા હતા, આવો જાણીએ
આ સરકાર આંખના પલકારામાં નિર્ણય કરે છે : CM
આ સરકાર આંખના પલકારામાં નિર્ણય કરે છે : CM
પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારની વાત કબુલી
કોગ્રેસ MLA પૂંજા વંશને CM રૂપાણીએ જવાબ આપ્યો હતો કે, આપણે એગ્રીકલ્ચર ક્ષેત્રે યુનિવર્સિટીઓને મંજૂરી આપી છે. 4 વર્ષમાં 1700થી વધુ નિર્ણયો લીધા છે. પ્રજાહિતમાં નિેર્ણય યુ ટર્ન કરવાની જરૂર પડી તો કર્યા છે. પ્રજાહિતમાં યુ-ટર્ન કરવાની અમારામાં હિંમત છે. લોકોની અપેક્ષાઓ અમે પૂર્ણ કરી છે. અહેમદ પટેલ કોંગ્રેસમાં સર્વેસર્વા હતા. અહેમદ પટેલના સમયમાં ગુજરાતના હિતમાં નિર્ણય ન થયા.
આ સરકાર આંખના પલકારામાં નિર્ણય કરે છે
ધમણ મુદ્દે વિધાનસભા ગૃહમાં CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, ધમણના નામે મારી સામે ખોટા આક્ષેપ કરે છે. 900 ધમણ સરકારને ફ્રીમાં કંપનીએ આપ્યા છે. ફ્રીમાં મળેલી વસ્તુમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય? ભ્રષ્ટાચાર નાથવા ACBને સત્તા આપી છે. આ સરકાર આંખના પલકારામાં નિર્ણય કરે છે.
પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારની વાત કબુલી
CM રૂપાણીએ મહેસુલ તથા પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારની વાત કબુલી હતી. ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યુ છે ત્યારે વિધાનસભા ગૃહમાં CM રૂપાણીએ નિવેદન આપ્યું હતુ કે, પોલીસ-મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર રોકવા પગલા લીધા છે. રાજ્ય સરકારે મહેસુલ ફેસલેસ સિસ્ટમ અપનાવી છે. જમીન NA કરવાનો અધિકાર પંચાયતને નહીં આપીએ.
કોંગ્રેસ પ્રમુખ-વિપક્ષ નેતાએ રાજીનામું આપવું પડે તેનું દુ:ખ છે
ગૃહમાં કોંગ્રેસ નેતાઓના રાજીનામા પર CM રૂપાણીએ નિવેદન આપ્યું હતુ કે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ-વિપક્ષ નેતાએ રાજીનામું આપ્યું છે. બન્ને નેતાઓ અમારા મિત્રો છે. કોંગ્રેસ પ્રમુખ-વિપક્ષ નેતાએ રાજીનામું આપવું પડે તેનું દુ:ખ છે.