ગાંધીનગર: સીએમ રૂપાણીએ ગાંધીનગરના પંચદેવના મંદિરના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે.
ગાંધીનગરના પંચદેવના મંદિરે દર્શન કર્યા બાદ સીએમ રૂપાણીએ મંદિરમાં પૂજા અર્ચના અને આરતીનો પણ લાભ લીધો. સીએમ રૂપાણી મંદિરે દર્શન કરતા આવતા ત્યાં હાજર ભક્તોએ પણ સીએમને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને સીએમ રૂપાણીએ પણ લોકોને મળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.
આ સાથે સાથે જ અમદાવાદનુ નામ કર્ણાવતી રાખવા મુદ્દે CM એ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ બાબતે વિચારણા કરી રહ્યા છે. કાયદાકીય રીતે કઈ રીતે નામ કર્ણાવતી થઈ શકે તેની વિચારણા થઈ રહી છે. આગામી દિવસોમાં નક્કર પગલા લેવાશે.
ત્યારબાદ વિજય રૂપાણીએ ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા હતા. ત્યાં તેઓએ જણાવ્યું હતું કે આગામી વર્ષે અમારી સરકાર બનશે. ભદ્રકાળી માતાજીને પ્રાર્થના કરી છે. એક વખત ફરીથી અમારી સરકાર બનશે તેવો સંકલ્પ કરીશું. તેવું જણાવ્યું હતું.
સીએમ રૂપાણીના નિવાસ સ્થાને પણ નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ પણ હાજર રહેશે અને નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.