મહારાષ્ટ્રમાં ચાલી રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂત કાર્ડ ખેલ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપી દીધી છે. તેમણે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 5380 કરોડ રૂપિયાને મંજૂરી આપી દીધી છે. જેને લઇને રાજકીય ઘમાસાણ વચ્ચે વિપક્ષની ચિંતા વધી શકે છે. ત્યારે હાલ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.
આ પહેલા ખેડૂતોના મુદ્દા પર મુખ્યમંત્રી દેવેન્દ્રફડણવીસે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે બેઠક કરી હતી. વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને વધુ સહાય અને સહાય માટે અલગ અલગ ઉપાયો પર મુખ્યમંત્રીએ અજિત પવાર સાથે ચર્ચા કરી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયથી ટ્વિટકરીને જાણકારી આપવામાં આવી છે કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને રાહત આપવા માટે મહારાષ્ટ્ર આકસ્મિક ફંડમાંથી 5380 કરોડ રૂપિયા મંજૂર કર્યા.
CM @Dev_Fadnavis sanctions another ₹5380 crore from Maharashtra Contingency Fund to give relief to unseasonal rain affected farmers. https://t.co/qLmtN2x2f1
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં સોમવારે એક બેઠક મળી છે. વિશ્વ બેંકના પ્રતિનિધિઓ સાથે સૂચિત ‘આબોહવાની સ્થિતિસ્થાપકતા, સુધારણા અને પૂર અને દુષ્કાળ વ્યવસ્થાપન કાર્યક્રમ’ અંગે ચર્ચા કરવામાં આવી.
Office of the Chief Minister of Maharashtra: CM Devendra Fadnavis chaired a meeting in Mumbai today to discuss proposed ‘Climate Resilience Improvement and flood & drought Management Program’ with representatives from World Bank. pic.twitter.com/gAvvIzjARt