અયોધ્યા કેસના નિર્ણય પહેલાં એક મોટી જાણકારી સામે આવી રહી છે. જેના આધારે CJI રંજન ગોગોઈ ઉત્તરપ્રદેશના પ્રધાન સચિવ રાજેન્દ્ર તિવારી અને ડીજીપી ઓપી સિંહને મળશે.
ચીફ જસ્ટિસ મળશે પ્રધાન સચિવ અને ડીજીપીને
અયોધ્યા નિર્ણય પહેલાં યોજાશે બેઠક
સુરક્ષા વ્યવસ્થાને લઈને કરવામાં આવી ખાસ વ્યવસ્થા
સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષાઃ યોગી આદિત્યનાથ
યોગી સરકારથી લઈને અયોધ્યા વિવાદના નિર્ણય સુધી સમગ્ર વહીવટી કર્મચારી એલર્ટ પર આવી ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
સૂત્રો અનુસાર મળતી માહિતિના આધારે અયોધ્યાના નિર્ણયને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોને એડવાઈઝરી આપવામાં આવી છે. આ નિર્ણય અંગે તમામ રાજ્યોને સજાગ રહેવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વધારાની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય અર્ધ સૈનિક દળની 40 કંપનીઓ મોકલી રહ્યું છે. આ 40 કંપનીઓમાં 4000 પેરા સૈન્ય દળના જવાનોનો સમાવેશ કરવામાં આવશે.
6 હજાર લોકોને આપવામાં આવ્યું રેડ કાર્ડ
ઉત્તર પ્રદેશ પોલીસે બરેલી ઝોનમાં આવા 6 હજારથી વધુ લોકોને અળગ તારવ્યા છે. જે ચુકાદા બાદ સમસ્યા સર્જી શકે છે. આવા તોફાની તત્વોને રેડકાર્ડ ઇસ્યુ કરાયા છે, જેનો અર્થ છે કે પોલીસ દ્વારા તેમની નજીકની દેખરેખ રાખવામાં આવશે. બરેલી ઝોન, શાહજહાપુર, બડાઉન, પીલીભીત, રામપુર, મુરાદાબાદ, સંભલ, અમરોહા અને બિજનોર શહેરોમાં આવા 4 હજારથી વધુ લોકોની ઓળખ કરવામાં આવી છે. આ તે લોકો છે જે પાયમાલીનું કારણ બની શકે છે. આ સિવાય આવા 90 સ્થળોની ઓળખ કરવામાં આવી છે જે સંવેદનશીલ છે.
8 અસ્થાઈ જેલ બનાવવામાં આવી
અયોધ્યા પર નિર્ણય પહેલાં આંબેડકર નગરના અલગ અલગ કોલેજોમાં 8 અસ્થાઈ જેલ બનાવવામાં આવી છે. તંત્રએ આ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો છે. અયોધ્યામાં પહેલેથી જ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ અનેક જગ્યાઓએ સુરક્ષા જવાનોની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દરેક પરિસ્થિતિ સામે લડવા માટે સુરક્ષાત્મક રીતે સદ્ધર છે. સંવેદનશીલ કેસ હોવાના કારણે સુરક્ષાના ભાગ રૂપે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
PMનું સૂચન, ભડકાવનારા નિવેદનોથી રહો દૂર
અયોધ્યા કેસમાં નિર્ણય પહેલાં પીએમ મોદી અને કેન્દ્ર સરકાર સજાગ છે. આ બાબતે પીએમ મોદીએ બુધવારે જ કેબિનેટ બેઠક કરીને મંત્રીઓને સૂચના આપી છે કે કોઈ પણ પ્રકારના ભડકાવનારા નિવેદનોથી દૂર રહો. મોદીએ મંત્રી પરિષદની બેઠકમાં કહ્યું કે અયોધ્યા કેસમાં બિનજરૂરી નિવેદનો ન આપવામાં આવે. સાથે જ પીએમ મોદીએ અયોધ્યા વિવાદ પર આવનારા નિર્ણયોને લઈને દેશમાં શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવામાં સહયોગ આપવાની અપીલ કરી હતી.