પરંપરા અનુસાર CJI ગોગોઈ પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ બોબડેની સાથે કોર્ટ રૂમમાં બેઠા. તે સમયે તેઓએ ફક્ત 3 મિનિટમાં 10 કેસમાં નોટીસ જાહેર કરી. 17 નવેમ્બરે ચીફ જસ્ટિસના કાર્યકાળનો અંતિમ દિવસ છે. પરંતુ આ સમયે વીકેન્ડ આવી રહ્યો છે.
CJI રંજન ગોગોઈના કાર્યકાળનો છેલ્લો દિવસ
છેલ્લી 3 મિનિટમાં જાહેર કરી 10 નોટીસ
જસ્ટિસ બોબડે હશે દેશના આવનારા ચીફ જસ્ટિસ
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે થોડા સમય માટે જ પોતાના કાર્યાલયમાં બેઠા. પરંપરા અનુસાર CJI ગોગોઈ તેમના ઉત્તરાધિકારી જસ્ટિસ એસ.એ. બોબડેની સાથે કોર્ટ રૂમમાં બેઠા. આ સમયે તેઓએ ફક્ત 3 મિનિટમાં 10 કેસમાં નોટીસ જાહેર કરી હતી. 17 નવેમ્બરે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના કાર્યકાળનો આખરી દિવસ છે, પરંતુ આ સમયે વીકેન્ડ આવી રહ્યો છે.
પત્રકારો સાથે વાત કરવાનો કર્યો ઈનકાર
પત્રકારોએ ચીફ જસ્ટિસ ગોગોઈને અપીલ કરી કે તેમની સાથે વાત કરે. પરંતુ ચીફ જસ્ટિસે આ માટે મનાઈ કરી હતી. બાર એસોશિયેશનની તરફથી આયોજિત ફેરવેલ ફંક્શનમાં પણ CJI સંબોધન આપશે નહીં.
જાણો કેવો રહ્યો CJI રંજન ગોગોઈનો કાર્યકાળનો અંતિમ દિવસ
કાર્યકાળના અંતિમ દિવસે CJI રંજન ગોગોઈ 3 મિનિટ માટે જ પોતાની કોર્ટમાં બેઠા.
ચીફ જસ્ટિસ ગોગોઈ સાડા 10 વાગ્યે કોર્ટરૂમમાં પહોંચ્યા તો રૂમ ખચોખચ ભરેલો હતો.
18 નવેમ્બરે જસ્ટિસ બોબડે નવા મુખ્ય ન્યાયાધીશના આધારે શપથ લેશે. પહેલાં શુક્રવારે હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ બોબડેની બેંચે કાર્યસૂચિમાં સામેલ 10 કેસમાં નોટીસ જાહેર કરી હતી.
આ પ્રક્રિયા પછી સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના અધ્યક્ષ રાજેશ ખન્નાએ દરેકના વતી જસ્ટિસ ગોગોઈનો આભાર માન્યો હતો અને શુભકામના પાઠવી હતી.
આ સમયે જસ્ટિસ ગોગોઈએ પણ દરેકનો આભાર માન્યો. રૂમમાં જ દરેકને હાથ જોડીને નમસ્કાર કર્યા અને વિદાય લીધી.
શુક્રવારે બપોરે અઢી વાગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રાજઘાટ જશે અને સાથે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. જસ્ટિસ ગોગોઈએ CJIનું પદ સંભાળ્યું ત્યારે પણ તેઓ રાજઘાટ ગયા હતા.
શુક્રવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દેશના દરેક હાઈકોર્ટના 65જ જજ, 15000થી વધુ ન્યાયિક અધિકારીઓને વીડિયો કોન્ફકન્સની મદદથી સાંજે સંબોધિત કરશે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના કાર્યકાળના અંતિમ દિવસે અનેક કેસમાં નિર્ણય આપ્યો છે. જેમાં અયોધ્યા કેસ, કર્ણાટક વિધાયક કેસ, સબરીમાલા કેસ, રાફેલ વિમાન સોદા પર પુનર્વિચાર અરજી, રાહુલ ગાંધી માનહાનિ કેસનો ચૂકાદો આપ્યો હતો. ચીફ જસ્ટિસ ગોગોઈની અધ્યક્ષતામાં બેંચે સબરીમાલા વિવાદને 7 જજની ઉપલી બેંચેને સોંપવામા આવ્યો હતો.