અમદાવાદમાં પ્રદૂષણ વધુ ફેલાવવા માટે પીરાણા ડમ્પિંગ સાઈટને જવાબદાર માનવમાં આવે છે. ત્યારે હવે આ કચરાનો ડુંગર અમૂક વર્ષમાં ભૂતકાળ બની જશે.
પીરાણાનો કચરાનો ડુંગર ઘટ્યો
2 વર્ષમાં 25 લાખ મેટ્રીક ટન કચરાનો નિકાલ
16 એકર જમીન ખાલી કરવામાં આવી
અમદાવાદના પીરાણાનો કચરાનો ડુંગર ઓછો થયો છે. 2 વર્ષમાં 25 લાખ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરી 16 એકર જમીન ખુલ્લી મુકી છે. અમદાવાદમાં પ્રદૂષણ વધુ ફેલાવવા માટે પીરાણા ડમ્પિંગ સાઈટને જવાબદાર માનવમાં આવે છે. ત્યારે હવે આ કચરાનો ડુંગર અમૂક વર્ષમાં ભૂતકાળ બની જશે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના સોલિડવેસ્ટ વિભાગ પૂરજોશમાં કામ કરી રહ્યું છે. પીરાણા ડમ્પ સાઈટ પર 300 મેટ્રિક ટનના 40 મશીન કામ કરી રહ્યા છે. આ ઉપરાંત 8 મશીન 1,000 મેટ્રિક ટનના કામે લાગ્યા છે.
આ કચરામાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે જેના કારણે આગામી સમયમાં અમદાવાદમાં પ્રદૂષણનું લેવલ ઓછું થશે. તેમ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વેસ્ટનો એનર્જીમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. હાલ રોજનો 1 મેટ્રીક ટન કચરાનો નિકાલ અહીંયા કરવામાં આવી રહ્યો છે. પીરાણા ડમ્પ તે બાયો માઈનિંગ પ્રોજેક્ટમાં સૌથી સફળ પ્રોજેક્ટ માનવમાં આવી રહ્યો છે.