અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ શહિદ સર્કલ માર્ગ પર સમારકામને લઈ રોડ ખોદવામાં આવ્યો હતો . જે રોડ હવે બનાવામાં નથી આવી રહ્યો જેના કારણે સ્થાનિકો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં લોકો હેરાન પરેશાન
શહીદ સર્કલ પાસે ખરાબ રોડને કારણે સ્થાનિકો હેરાન
હાઇકોર્ટની ટકોર છતાં AMCના આંખ આડા કાન
અમદાવાદમાં નાગરીકોને આખરે સારી સુવિધા ક્યારે મળી રહેશે તે એક ગંભીર પ્રશ્ન બન્યો છે. કારણકે જનતાની સમસ્યાની અંત આવીજ નથી રહ્યો. ખાસ કરીને ખરાબ રસ્તાઓને લઈને નાગરિકોને ભારે હાંલાકીનો સામનો કરવો પડે છે. આ મામલે હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી તેમ છતા એએમસી આંખ આડા કાન કરી રહ્યા છે.
સ્થાનિકો હેરાન પરેશાન
શહેરના નરોડા વિસ્તારમાં આવેલ શહીદ સર્કલ માર્ગ બિસ્માર હાલતમાં છે. તંત્ર દ્વારા રોડ રિસરફેસ માટે ખોદી તો કાઢ્યો પરંતુ બાદમાં આ રોડ બનાવામાં આવ્યોજ નથી. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાંકી પડી રહી છે.
ખરાબ રોડને કારણે અકસ્માત વધ્યા
સ્થાનિકો દ્વારા આ મામલે ધારાસભ્ય તેમજ કોર્પોરેટરને પણ રજૂઆત કરવામાં આવી તેમ છતા રોડ સરખો કરવા માટે કોઈ તસ્દી લેતુ નથી. સ્થાનિકોનું કહેવું છે કે રોડ ખોદી કાઢ્યો છે જેના કારણે અકસ્માતો થતા હોય છે. સાથેજ એમ પણ કહેવું છે કે બાળકો પણ ખાડામાં પડી જતા હોય છે. જેના કારણે તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે.
સ્થાનિકોમાં રોષનો માહોલ
ઉલ્લેખનીય છે કે રોડ રિફરફેસનો દાવો કરનારા અધિકારીઓ પણ આ મામલે કોઈ પણ કાર્યવાહી નથી રહ્યા. સ્થાનિકોના કહેવા પ્રમાણે મેયર કિરીટ પરમારે એક મહિનામાં કામ પૂર્ણ કરી આપવાની ખાતરી આપી હતી. તેમ છતા પણ રોડ હજું પણ બિસ્માર હાલતમાં છે જેના કારણે સ્થાનિકોમાં હવે રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ સ્થાનિકોના એ સવાલ પણ કરી રહ્યા છે કે શું 200 કરોડનું બજેટ માત્ર રોડ પર ડામર પાથરવાનુંજ હતું ?