અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝિન ધ વીકએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ભારતમાં ચીની સેના દ્વારા થઈ રહેલી ઘૂસણખોરીના શિલ્પકાર ગણાવ્યા છે. મેગેઝિનમાં જણાવ્યાનુંસાર ચીની રાષ્ટ્રપતિએ ભારતમાં પીએલએની ઘૂસણખોરીની યોજનાને ગ્રીન સિગ્નલ આપીને પોતાના ભવિષ્યને સંકટનાં નાંખ્યુ છે. ચીની સેનાનું આ ષડયંત્ર સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છ. કેમ કે ભારતીય સેનાએ અપ્રત્યક્ષ રુપે ચીનના ભયાનક જવાબ આપ્યો છે અને ચીનનો આ પ્રયત્ન નિષ્ફળ ગયો છે.
ભારતીય સેનાએ અપ્રત્યક્ષ રુપે ચીનના ભયાનક જવાબ આપ્યો
હવે ભારતે શી જિંગપિંગના પગલા પર ધ્યાન રાખવાની જરુર છે
ચીન ભારતીય અડ્ડાઓ પર આક્રમક હુમલાની યોજના બનાવી શકે છે
ધ વીકના સ્તંભકાર ગાર્ડન જી ચાંગે કહ્યું તે ઈન્ડિયન આર્મીએ ચીની સેનાને જોરદાર હાર આપી છે અને હવે ભારતે શી જિંગપિંગના પગલા પર ધ્યાન રાખવાની જરુર છે.
મેગેઝિનમાં ગાર્ડન જી ચાંગે લખ્યું છે કે 67 વર્ષના શી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં મનમરજીના પરિવર્તન કરી રહ્યા છે. અને સામુહિક રુપે પોતાના વિરોધીઓને રોડી રહ્યા છે. ભારત સાથેની આ હારને કારણે જિનપિંગ કેટલાક ક્રુર પગલા ભરી શકે છે. જિનપિંગ પીએલએ અને સત્તાધારી પાર્ટીના પ્રમુખ છે જેથી તે ભારતીય અડ્ડાઓ પર આક્રમક હુમલાની યોજના બનાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે પહેલ ગલવાન ઘાટીની ચીની સેનાએ હુમલો કરી 20 ભારતીય જવાનોના જીવ લીધા હતા. એ બાદ તે દક્ષિણ પેંગોંગ હિલ પર પોતાનો હક જમાવવાના સપના જોઈ રહ્યુ હતું. જેને ભારતીય સેનાએ તે સપનું તોડી નાંખ્યું છે. જેથી ચીન વધારે ઉશ્કેરાયું છે.