ચીન કોઈકને કોઈક નવા પેંતરા કરીને ભારતની સમસ્યા વધારવા અને તેને અન્ય બાબતોમાં વ્યસ્ત રાખવાના પ્રયત્નો કરતુ રહ્યું છે. આવું જ તેણે થોડા સમય પહેલા કર્યુ હતુ. ચીની સેનાએ 5 ભારતીય નાગરિકોનું અપહરણ કર્યુ હતુ. આ મુદ્દે તેણે શરુઆતમાં આ વાત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે તે પહેલાથી અરુણાચલને પોતાનું ગણાવતુ આવ્યું છે. જોકે સારા સમાચાર એ છે કે આજે ચીની સેના એ 5 ભારતીયોને મુક્ત કરશે અને આ 5 ભારતીય ભારત પરત ફરશે.
આજે ચીનની સેના 5 ભારતીયોને ભારતને સોંપશે
સરહદ પાસેના ગામમાંથી ચીને યુવકોની કર્યુ હતુ અપહરણ
ચીન પર દબાણ થતા યુવકો પોતાની પાસે હોવાનુ સ્વીકાર્યુ હતુ
અરુણાચલ પ્રદેશથી ગુમ થયેલા 5 ભારતીયોને ચીન શનિવારે ભારતને સોંપશે. ચીન સવારે 9.30 વાગે વાચામાં 5 યુવકોને સોંપશે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરી ચીની પીએલએએ અરુણાચલ પ્રદેશના 5 યુવકોને ભારતીય સેનાને સોંપવાની ખરાઈ કરી છે.
ચીન દ્વારા ભારતીયોના આપહરણના મામલામાં સારા સમાચાર છે. એ છે કે આજે ચીનની સેના 5 ભારતીયોને ભારતને સોંપશે. સરહદ પાસેના ગામમાંથી ચીને યુવકોનું અપહરણ કર્યુ હતું . ચીન પર દબાણ થતા યુવકો પોતાની પાસે હોવાનુ સ્વીકાર્યુ હતુ. પાંચેય યુવકો શિકાર કરવા જંગલમાં ગયા હતા. પાંચેય યુવકોને ચીનની સેના ગશ્તી સેક્ટર સેરા-7થી લઇ ગયા હતા.
The Chinese PLA has confirmed to Indian Army to hand over the youths from Arunachal Pradesh to our side. The handing over is likely to take place anytime tomorrow i.e. 12th September 2020 at a designated location. https://t.co/UaM9IIZl56
ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યા નિનોંન્ગ એરિંગે દાવો કર્યો હતો કે અરુણાચલ પ્રદેશના ઉપરના સુબનસિરી જિલ્લાના 5 લોકોને કથિત રીતે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના માધ્યમથી અપહરણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય નનોન્ગ એરિંગે PMOને ટ્વીટ કરી આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતુ. જે ગ્રામજનોનું અપહરણ થયું હતું તેમાં ટોચ સિંગકમ, પ્રસાદ રિંગલિંગ, ડોંગટૂ ઈબિયા, તનુ બેકર અને નાર્ગુ ડિરી છે. બે અન્ય ગ્રામીણ હતા જે અપહરણ થયેલા લોકોની સાથે હતા. જો કે તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. એ બાદ આ બન્ને લોકોએ આ 5 લોકોના અપહરણના સમાચાર આપ્યા હતા.