LAC પર ભારત સાથે તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીની સેનાને રણનીતિ મેનેજમેન્ટ પ્રશિક્ષણ મજબૂત કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સોમવારે ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેનો તણાવ ચરમસીમા પર છે.
ભારત અને ચીન વચ્ચે તણાવ
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે હરકતમાં
ચીની સેનાને તૈયાર રહેવાના આદેશ
ભારત સાથે તણાવ બાદ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે હરકતમાં આવ્યાં છે અને ચીની સેનાને આદેશ આપવામાં આવ્યો છે. જિનપિંગે પોતાની સેનાને વધુ મજબૂત બનાવવા માટે સૈન્ય મેનેજમેન્ટમાં સુધાર અને ટ્રેનિંગની ગતિવિધ વધારવા માટેનો નિર્દેશ આપ્યો છે. ચીનની સરકારી મીડિયા શિન્હુઆ મુજબ દેશની સેનાના પ્રમુખની પણ જવાબદારી સંભાળનારા શી જિનપિંગે શસસ્ત્ર બળોના રણનૈતિક પ્રબંધન પ્રશિક્ષણ પર ટૅલિ કોન્ફરન્સમાં આ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા.
સૈન્ય આધુનિકીકરણ પર તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લાઈન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર ભારત સાથે તણાવ ચાલી રહ્યો છે.
સેનાની સ્ટ્રેટજી મેનેજમેન્ટ પર ભાર મૂક્યો
જિનિપિંગે આ દરમ્યાન સશસ્ત્ર બળો માટે રણનૈતિક પ્રબંધન પ્રશિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો છે. ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ શી જિનપિંગે કહ્યું કે સેનાને મજબૂત કરવા માટે સ્ટ્રેટજી મેનેજમેન્ટમાં સુધારો લાવવાના તેમ જ સમસ્યા તથા પરિણામો પર કેન્દ્રિત કરવાના પ્રયાસો થવા જોઈએ.
ભારત અને અમેરિકા સાથે ચીનનો વિવાદ
ચીની રાષ્ટ્રપતિનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે PLAએ LAC પર આક્રમક વલણ દાખવ્યું અને પોતાના દાવા કરી રહ્યું છે જે ભારત 3488 કિમી લાંબા LAC પ્રબંધન માટે કરેલા સમજૂતીનું ઉલ્લંઘન કરનારું બતાવી રહ્યું છે. જ્યારે દક્ષિણ તથા પૂર્વીય સાગરોમાં ચીને શક્તિ પ્રદર્શન સહિત અને વિષયો પર અમેરિકા સાથે તેના મતભેદ છે.
યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન
શિન્હુઆ અનુસાર શી જિનપિંગે સશસ્ત્ર બળોને 13મી પંચવર્ષીય યોજના પૂરી રીતે લાગુ કરવાના અને સૈન્ય વિકાસ માટે 14મી પંચવર્ષીય યોજનાની રૂપરેખા આગળ વધારવાની જરૂરત છે તેમ કહ્યું છે. ચીને હાલમાં જ પોતાના આ વર્ષના રક્ષા સૈન્ય બજેટને મંજૂરી આપી હતી જે લગભગ 1.27 હજાર અબજ યુઆન (લગભગ 127 અબજ ડોલર)નું છે.