ચીનના પૌંગોંગ સરોવર પર એક ગેરકાયદેસર પુલ બનાવ્યા બહાદ ચીને હવે એક નવી ચાલ ચાલી છે. ચુશુલના સરહદી વિસ્તારમાં ચાઈનાના કબ્જાવાળા આ વિસ્તારમાં ત્રણ નવા મોબાઈલ ટાવર લગાવ્યા હોવાની હાલમાં ચર્ચા ચાલી રહી છે.
નાપાક ચીનની વધું એક ચાલ સામે આવી
પૈંગોંગ સરોવર પર પુલ બનાવ્યા બાદ આ કામ કર્યું
ગેરકાયદેસર કબ્જાવાળા વિસ્તારમાં મોબાઈલ ટાવર લગાવ્યા
ચીનના પૌંગોંગ સરોવર પર એક ગેરકાયદેસર પુલ બનાવ્યા બહાદ ચીને હવે એક નવી ચાલ ચાલી છે. ચુશુલના સરહદી વિસ્તારમાં ચાઈનાના કબ્જાવાળા આ વિસ્તારમાં ત્રણ નવા મોબાઈલ ટાવર લગાવ્યા હોવાની હાલમાં ચર્ચા ચાલી રહી છે. ભારતે પહેલા પણ કહ્યું હતું કે, પાડોશી દ્વારા બનાવામાં આવેલા પુલ 1962થી ગેરકાયદેસર કબ્જાવાળા વિસ્તારમાં આવેલો છે. ભારતે બેઈઝીંગથી સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાનું આહ્વાન કર્યું હતું.
After completing the bridge over Pangong lake, China has installed 3 mobile towers near China's hot spring very close to the Indian territory. Isn't it a concern? We don't even have 4G facilities in human habitation villages. 11 villages in my constituency have no 4G facilities. pic.twitter.com/4AhP4TYVNY
લદ્દાખ સ્વાયત પહાડી વિકાસ પરિષદ લેહના ચુશુલથી કોર્પોરેટર કોંચોક સ્ટૈંઝિને મોબાઈલ ટાવરની તસ્વીર શરે કરતા ટ્વિટ કર્યું છે, કે, પૈંગોંગ સરોવર પર પુલ બનાવ્યા હબાદ ચીને ભારતીય વિસ્તારની અત્યંત નજીક હોટ સ્પિરંગમાં 3 મોબાઈલ ટાવર લગાવ્યા છે. શું આ ચિંતાનો વિષય નથી ? આપણી પાસે માનવ વસ્તીવાળા ગામમાં 4જી સુવિધા પણ નથી. મારા 11 ગામમાં મત વિસ્તારમાં કોઈ 4 જી સુવિધા નથી. ચુશુલ સંયોગથી પૈંગોંગ સરોવર દક્ષિણમાં આવેલું છે. વાસ્તવિક નિયંત્રણ રેખા ગામથી લગભગ આઠ કિમી પૂર્વમાં આવેલી છે.
વિદેશ રાજ્યમંત્રીએ કહી આ વાત
આ અગાઉ આ વર્ષે ફેબ્રુઆરીમાં વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને લોકસભામાં કહ્યું હતું કે, ભારતે લદ્દાખની પાસેના વિસ્તાર પર ચીનના ગેરકાયદેસર કબ્જાનો ક્યારેય સ્વિકાર કર્યો નથી. તેમણે કહ્યું કે, સરાકરે ચીન દ્વારા પૈંગોંગ સરોવળર પર બનાવી રહેલા પુલ પર ધ્યાન આપી રહી છે. આ પુલનું નિર્માણ એ વિસ્તારમાં થઈ રહ્યું છે, જે 1962થી ચીનના ગેરકાયદેસર કબ્જો છે.
રાજનાથ સિંહનો કડક શબ્દોમાં મેસેજ
હાલમાં જ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનને આકરા શબ્દોમાં મેસેજ આપતા કહ્યું હતું કે, જો નુકસાન થયું તો, ભારત કોઈને છોડશે નહીં. તેમણે કહ્યું કે, હું ખુલ્લી રીતે એ નથી કહી શકતો કે, ભારતી સૈનિકોએ શું કર્યુ અને અમે એટલે કે સરકારે શું નિર્ણય લીધો. પણ હું ચોક્કસપણે માનુ છું કે, ચીનને એક મેસેજ ગયો છે, કે જો ભારતને કોઈ છંછેડશે તો ભારત છોડશે નહીં.