જમ્મૂ-કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરએ ચીનના વિદેશ મંત્રી વાંગ લી સાથે બેઇજિંગમાં મુલાકાત કરી હતી. ભારતના નિર્ણયથી ડરી ગયેલું પાકિસ્તાન દુનિયાના ઘણા બધા દેશોને સમર્થન આપવા જણાવ્યું હતું જેમાં ચીનનો પણ સમાવેશ થયો હતો.
બંને વિદેશ મંત્રીઓએ વચ્ચે થયેલી મુલાકાતમાં કાશ્મીરનો મુદ્દો પણ ઉઠ્યો હતો, પરંતુ વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનને કેટલાક તર્ક આપતા ચીન કોઇ જવાબ આપી શક્યું નહોતું. બંને દેશના વિદેશમંત્રી વચ્ચેની મુલાકાતમાં જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા-370 હટાવવા તેમજ રાજ્યના પૂનર્ગઠન કરવાનો મામલો સામે જ્યારે આવ્યો ત્યારે વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ભારતે જે નિર્ણય લીધો છે તે સંવિધાન હેઠળ છે, જેને લઇને પાકિસ્તાનની કે ચીનની સરહદ પર તેની કોઇ અસર થશે નહીં.
ચીન દ્વારા ભારત સામે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયને લઇને સવાલ કર્યા હતા અને જણાવ્યું હતું કે આ ક્ષેત્રની અખંડતા પર તેની અસર પડશે. વિદેશ મંત્રીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું કે વાતચીત દરમિયાન અકસાઇ ચીનનો મુદ્દો પણ ઉઠ્યો હતો.
ચીનને ચિંતા હતી કે ધારા 370ના કારણે ભારત-ચીનની સરહદ પર તેની અસર પડશે. પરંતુ ભારતના આ નિર્ણયને લઇને આંતરરાષ્ટ્રીય સરહદ પર તેની કોઇ અસર પડશે નહીં. વિદેશ મંત્રી એસ. જયશંકરનો પ્રવાસ એવા સમયે થયો, જ્યારે પાકિસ્તાન જમ્મૂ કાશ્મીર પર દુનિયાભરની મદદ માંગી રહ્યું છે.
પાકિસ્તાને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી પણ આ મુદ્દે ચીન પહોંચ્યા હતા. સંયુક્ત પ્રેસ વાર્તાને સંબોધિત કરતા એસ.જયશંકરે કહ્યું કે ભારત અને ચીન આવનારા સમયમાં 100 એવા પ્રયાસોને પ્રોત્સાહન આપશે, જેમા બંને દેશોના લોકોમાં એકબીજા પ્રત્યે ભાઇચારો જોવા મળી શકે.