આગામી સમયમાં રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાની શક્યતા છે. હાલમાં ભાજપ દ્વારા મંત્રીમંડળના ફેરફાર માટેની તમામ પ્રકારથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપમાંથી છોટાઉદેપુરના નેતાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી માગ ઉઠી છે. છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવાએ સ્થાનિક નેતાને મંત્રીમંડળમાં સ્થાનની માગ કરી છે. તેમણે જણાવ્યુ કે, છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ થાય તે સ્થાનિક નેતાને મંત્રીમંડળમાં સ્થાન મળવુ જોઈએ. મધ્ય ગુજરાતમાં અને છોટાઉદેપુર જિલ્લાના ભાજપના નેતાઓનેમંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવી માગ કરાઈ છે.
રાજ્યના મંત્રીમંડળમાં છોટાઉદેપુરના નેતાને સ્થાન આપવાની માગ
મધ્ય ગુજરાત અને છોટાઉદેપુરના નેતાને સ્થાન આપવાની માગ
ભાજપના છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ કરી માગ
રાજ્ય સરકાર માં અત્યારે મંત્રી મંડળ માં ફેરફાર કરવાની તયારીઓ પુર જોશમાં ચાલી રહી છે તેવા સમયે છોટા ઉદેપુર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે..ભાજપ માંથી છોટાઉદેપુર લોક સભા બેઠકમાં ચૂંટાયેલા અને છોટા ઉદેપુર જિલ્લાના વતની ગીતા બેન રાઠવાએ છોટાઉદેપુર જિલ્લાના ભાજપના ધારા સભ્યને મંત્રી મંડળ માં સમાવવા માટે માંગ કરી..સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પ્રમુખ પણ છોટા ઉદેપુર જિલ્લાનો વિકાસ થાય તેના માટે છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ થાય તેના માટે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાન સભાના ધારા સભ્ય ને નવા મંત્રી મંડળ માં સ્થાન આપવા માટે માંગ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા હાલમાં મંત્રી મંડળમાં ફેરફાર કરવા માટે તયારીઓ ચાલી રહી છે. તેવામાં મધ્ય ગુજરાતમાં અને છોટાઉદેપુર જિલ્લાના ભાજપના નેતાઓ છોટાઉદેપુર જીલ્લાના ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન મળે તેના અવાજ ઉઠાવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ ની માત્ર એક બેઠક છે. અને પાડોશી જિલ્લામાં નર્મદામાં ભાજપની એક પણ બેઠક નથી. અન્ય પાડોશી જિલ્લા દાહોદ અને પંચમહાલ માં પણ મંત્રી મંડળ માં એક એક સ્થાન આપવામા આવ્યું છે.. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા વિધાન સભાના ધારા સભ્ય અભેસિંહ તડવીનું નામ લીધા વિના તેમને નવા રચનાર મંત્રી મંડળ માં સમાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ જશું રાઠવા અને છોટાઉદેપુર સાંસદ ગીતા બેન રાઠવા એ સરકારમાં અવાજ ઉઠાવ્યો છે.
ગુજરાતના પછાત જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। . આ જિલ્લામાં કુલ ત્રણ વિધાન સભ્ય બેઠકો આવેલ છે જેમાં બે બેઠક કોંગ્રેસના કબજામાં છે અને એક બેઠક સંખેડા વિધાન સભા ભાજપ હસ્તક છે. જયારે બાજુ નો જિલ્લો નર્મદા માં પણ ભાજપ ના એક પણ ધારા સભ્ય નથિ જેથી બે જિલ્લા માં માત્ર એક જ ધારા સભ્ય ભાજપ ના છે .અને સંખેડા વિધાન સભા ધારા સભ્ય અભેસિંહ તડવી ભાજપના સિનિયર નેતા છે અને આદિવસી વિસ્તારમાં ખુબ લોક પ્રિયતા ધરાવે છે. તેથી આદિવાસી વિસ્તારમાં ભાજપનુ પ્રભુત્વ વધે અને જિલ્લાનો વિવિધ ક્ષેત્રે વિકાસ થાય તેના માટે જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ ગીતાબેન રાઠવા છોટાઉદેપુર જીલ્લાને મહત્વ આપી મધ્ય ગુજરાત ના છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ધારા સભ્ય ને મંત્રી મંડળ માં સ્થાન આપવામાં આવે તેવી લાગણી અને માગ કરી છે. હવે આદિવાસી નેતા ઓ પોતાના વિસ્તાર ના વિકાસ માટે આવાઝ ઉઠાવી રહ્યા છે.