ગેંગસ્ટર એજાજ લાકડાવાળાએ મુંબઇ પોલીસની સામે મોટો ખુલાસો થયો છે. તેણે પોલીસને જણાવ્યું છે કે છોટા રાજનના ગુંડાઓએ 1998માં મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને મારી નાખવાનું ષડયંત્ર કર્યું હતું, પરંતુ તે સફળ થયું નહીં.
ગેંગસ્ટર એજાજ લાકડાવાલાએ મુંબઇ પોલીસ સામે કર્યો ખુલાસો
છોટા રાજને 1998માં દાઉદને મારી નાખવાનું કર્યું હતુ ષડયંત્ર
દાઉદ ઇબ્રાહિમને મારવા કરાંચી ગઇ હતી ટીમ
ઉલ્લેખનીય છે કે બે દાયકાથી વધારે સમય ફરાર રહેલા દાઉદના નજીક સહયોગ રહેલા ગેંગસ્ટર લાકડાવાલાએ તેના વિરુદ્ધ દાખલ બળજબરીથી નાણા વસૂલ તેમજ હત્યાના પ્રયાસ મામલે ગત મહીને ધરપકડ બાદ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો.
પૂછપરછ દરમિયાન મુંબઇ પોલીસને જણાવ્યું કે દાઉદ ઇબ્રાહિમને મારવામાં અસફળ પ્રયત્ન પછી છોટા શકીલના ગૂર્ગો (ગુંડા)એ તેના પર અને ગેંગસ્ટર છોટા રાજન પર હુમલો કર્યો હતો. ક્રાઇમ બ્રાંચના એક સૂત્રોએ એમ પણ જણાવ્યું કે છોટા રાજનના નજીકના સાથીઓએ ભારતીય એજન્સીની સાથે મળીને 1998માં કરાચીમાં દાઉદ ઇબ્રાહિમને મારવાનું ષડયંત્ર રચ્યું હતું.
લાકડાવાળાએ ખુલાસો કર્યો કે દાઉદને મારવા માટે વિકી મલ્હોત્રા, ફરીદ તનાશા, બાલૂ ડોકરે, લાકડાવાલા, વિનોદ મટકર, સંજય ઘાટે અને બાબા રેડ્ડીની ટીમ કરાચી ગઇ હતી, પરંતુ સફળ રહી નહીં. તે સમયે દાઉદ કરાચીમાં તેની દિકરી મારિયાના મૃત્યુ પછી એક દરગાહ પર જવા ઇચ્છતો હતો.
સૂત્રોને જણાવ્યું કે વિકી મલ્હોત્રા અને અન્ય લોકો દાઉદનો રાહ જોઇ રહ્યાં હતા. પરંતુ દાઉદ ઇબ્રાહિમ નેપાળની એક સાંસદ પાસેથી આ અંગેની સૂચના મળ્યા બાદ કડક સુરક્ષા સાથે દરગાહ આવ્યો હતો અને આ ઓપરેશનને ટાળવું પડ્યું હતું.
જ્યાં તે રોકાઇ હતી તે ફલેટ પર જ્યારે ટીમ પહોંચી ત્યારે છોટા રાજને તેમને ત્યાંથી તરત નિકળી જવા માટે જણાવ્યું હતું કે, કારણ કે દાઉદને તેના વિરુદ્ધના આ ષડયંત્રની પૂરી જાણકારી મળી ગઇ હતી.
જો કે ત્યારબાદ મલ્હોત્રાએ નેપાળી સાંસદની હત્યા કરી દીધી, જ્યારે દાઉદ ઇબ્રાહિમના નજીકના સહયોગી મુન્ના ઝિંગોડા ઉર્ફે સૈયદ મુદ્દસ્સર હુસેનને 2000માં છોટા રાજન પર હુમલો કર્યો હતો.
જ્યારે તાવીજે લાકડાવાળાનો બચાવ્યો જીવ
લાકડાવાળા પર પણ 2000માં બેંકોકના એક માર્કેટમાં હુમલો કરવામાં આવ્યો હતો. ધાર્મિક પ્રવૃત્તિમાં આસ્થા ધરાવનાર લાકડાવાલાએ દાવો કર્યો હતો કે છોટા શકિલના ગૂર્ગોએ તેના પર છાતી, હાથ અને ડોકમાં ગોળી મારી, પરંતુ તેણે એક તાવીજ પહેર્યું હોવાથી બચી ગયો.