દિવાળીના તહેવારના બીજા દિવસે એટલે કે આજે છત્તીસગઢના દંતેવાડામાં મોટો નકસલી હુમલો થયો છે. નક્સલીઓએ અહીં બોમ્બ વિસ્ફોટથી CISFની બસને ઉડાવી દીધી. આ હુમલામાં 2 જવાન શહિદ થઈ ગયાં છે. આ બસમાં 2 જવાન સિવાય 3 સ્થાનિક નાગરિકનું પણ મૃત્યુ થયુ છે. આ ઘટનામાં સાત જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી 3 જવાનો સ્થિતિ ગંભીર છે. આ હુમલો દંતેવાડાની બચેલીમાં થયો.
આ ઘટના તે સમયે થઇ જ્યારે સવારે CISFની એક ટીમ મિની બસમાં સવાર થઇને આકાશ નગર જવા માટે રવાના થઇ. આ ટીમ તો કાયમી રસ્તા પર જ હતી પરંતુ જવાનોને પરત ફરતી વખતે પોતાના સાથીઓ માટે સ્થાનિક બજારમાંથી શાકભાજી લઇને પરત ફરવાનું હતુ.
જણાવવામાં આવી રહ્યુ છે આકાશ નગરમાં મોડ નંબર 6 પર જેમ આ મિની બસ પહોંચી ત્યારે નક્સલીએ IED બ્લાસ્ટ કરી દીધો. આ મિની બસ લગભગ 8 ફૂટ ઉંચી ઉછળી. બસ જમીન પર પડતા નક્સલીઓએ જવાનો પર ફાયરિંગ કર્યુ. લગભગ 15 મિનિટ પછી નક્સલીએ મૌકા પર રહ્યા અને તેમણે સુરક્ષા બળો અને સરકાર વિરુદ્ઘ નારા લગાવ્યા.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગદલપુરમાં ચૂંટણી રેલી છે. જગદલપુર દંતેવાડાની નજીક બસ્તરમાં વિધાનસભા ક્ષેત્ર છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં જે રીત નક્સલીઓના હુમલાઓ વધી ગયાં છે.
ઓછા સમયમાં અનેક હુમલાઓ:
આ પહેલાં 27 ઓક્ટોબરે નક્સલીઓએ વીજાપુરમાં CRPFના જવાનોને નિશાન બનાવ્યાં હતા. આ હુમલામાં 4 જવાન શહીદ થયાં હતા. આ તમામ ડ્યૂટી પર હતા ત્યારે નક્સલીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો હતો.
આ ઉપરાંત 30 ઓક્ટોબરે દૂરદર્શનની ટીમ પર હુમલો થયો હતો જેમાં દૂરદર્શનના એક કેમેરામેન સહિત 2 જવાન શહીદ થયા હતા. તો 2 નવેમ્બરે પણ એક બ્લાસ્ટ થયો હતો જેમાં 1 જવાન શહીદ થયા હતા.
12 નવેમ્બરે મતદાન:
છત્તીસગઢની 18 સીટ પર 12 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ તમામ સીટ છે જ્યાં નક્સલીઓનો પ્રભાવ રહે છે. આ કારણ જ છે કે સુરક્ષાને ઘણી મજબૂત કરવામાં આવી છે.
નક્સલીઓ હંમેશાથી લોકતાંત્રિક ચૂંટણીનો વિરોધ કરે છે અને આ જ કારણ છે કે તેઓ લોકોને વોટ નાંખતા રોકવા માટે આ પ્રકારના હુમલાઓ કરે છે.