ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ વિશ્વ વિદ્યાલય (IPU)ના પ્રોફેસરે છોડમાં મળનારા પ્રાકૃતિક 50 એવા રાસાયણિક તત્વોની ઓળખ કરી છે જે કોરોના વાયરસના પ્રોટીન પર હુમલો કરીને તેને નિષ્ક્રિય બનાવવામાં મીલનો પત્થર સાબિત થઈ શકે છે.
IPUના પ્રોફેસરે કર્યો દાવો
છોડના રાસાયણિક તત્વોથી રોકી શકાશે કોરોના
રાસાયણિક તત્વો કોરોનાના પ્રોટીન પર હુમલો કરી નિષ્ક્રિય કરે છે
બાયોટેક્નોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસરે કહ્યું છે કે પ્રકૃતિમાં એવા અનેક છોડ છે જેનાથી નીકળતા પ્રાકૃતિક રસાયણોનો ઉપયોગ કરીને ગંભીર બીમારીની સારવાર કરી શકાય છે. કોરોનાએ આખી દુનિયાને ઝપેટમાં લીધી છે. આ વાતને ધ્યાનમાં રાખીને તેઓએ એક હજારથી વધારે છોડથી નીકળનારા રાસાયણિક તત્વોનો ઉપયોગ કરીને કોરોનાના પ્રોટીનને ખતમ કરવાની દિશામાં શોધ કરી છે. તેમાં 50 એવા રાસાયણિક તત્વો મળ્યા છે જે કોરોના સંક્રમણને રોકી શકે છે.
તેઓ કહે છે કે સૌ પહેલાં રાસાયણિક તત્વના છોડની શોધ કરાઈ છે. તેમાં જોવા મળ્યું છે કે છોડના કયા ભાગથી આ રાસાયણિક તત્વ મળી શકે છે. તેના મૂળ, પાન કે અન્ય કોઈ ભાગ પણ હોઈ શકે છે. આ રાસાયણિક તત્વોને રસાયણ ક્રિયા દ્વારા કાઢવામાં આવ્યા છે અને સાથે તેમની શોધ કરીને તેને રાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી બનાવાયા છે.
આ રીતે કરાયું છે પરીક્ષણ
સંશોધનમાં કહેવાયું છે કે રાસાયણિક તત્વની કોરોનાના નોન સ્ટ્રક્ચરલ પ્રોટીન 15ની સાથે પ્રક્રિયા કરાઈ છે તેમાં જાણવા મળ્યું છે કે રાસાયણિક તત્વોએ કોરોના પ્રોટીન પર હુમલો કર્યો છે અને તેને બાંધી દીધું છે. આ પ્રોટીન કોઈ અન્ય તત્વ સાથે પ્રક્રિયા કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. જો કોરોનાનું પ્રોટીન અન્ય કોઈ તત્વ સાથે પ્રક્રિયા માટે નિષ્ફળ બને છે તો સંક્રમણનો ખતરો ઘટે છે. આ પરીક્ષણ કમ્પ્યુટર પર કરાયું છે. વન્યજીવો અને માણસો પર પણ તેનો પ્રયોગ કરાશે. ડોક્ટરે કહ્યું છે કે આ શોધને આંતરરાષ્ટ્રિય સ્તરે પણ નામ મળી ચૂક્યું છે. કોરોના પર કરાયેલી આ શોધ 3 સપ્ટેમ્બરે આંતર રાષ્ટ્રિય જનરલ ફાઈટોમેડિસિનમાં પ્રકાશિત થઈ છે.