રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય જથ્થાનો નાશ કરવાની તજવીજ હાથ ધરાઈ, વડોદરામાં સુરસાગર તળાવ વિસ્તારમાં પાણીના સેમ્પલ લીધા હતા
વડોદરામાં પાણી પુરીની લારીઓ પર ચેકિંગ
મનપાના હેલ્થ વિભાગ દ્વારા શરૂ કરાયું ચેકિંગ
અખાદ્ય જથ્થાને લઈને શરૂ કરાઈ તપાસ
વડોદરામાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું. તહેવારોની શરૂઆત સાથે મનપાના હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય જથ્થાનો નાશ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. વડોદરામાં સુરસાગર તળાવ વિસ્તારમાં પાણીના સેમ્પલ લીધા હતા. સાથે પાણીપુરીના મસાલા, બટાકાની ચકાસણી પણ કરાઇ હતી.
ગુજરાતમાં રોગચાળાની સ્થિતિ
સમગ્ર ગુજરાત સહિત ખાસ મેગા સિટીમાં પાણીજન્ય રોગની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તો વડોદરા શહેરમાં રોગચાળો જોવા મળી રહ્યો છે. દૂષિત પાણી અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં કેસ પણ વધ્યા છે. ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, તાવ, ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરાની સાથિ અમદાવાદ, રાજકોટ અને અન્ય શહેરોમાં પણ OPD બહાર લાંબી લાઈન જોવા મળે છે.
વડોદરામાં રોગચાળો
વડોદરામાં વકરતો જતો રોગચાળો
ડેન્ગ્યૂના 12 અને ચિકનગુનિયાના 14 નવા કેસ
ઝાડા ઉલ્ટીના 103, તાવના 457 અને ટાઈફોઈડના 2 નવા કેસ
શહેેરની 6 બાંધકામ સાઈટને નોટિસ
શહેરની 9 હોસ્ટેલ અને સ્કૂલને ગંદકી મુદ્દે નોટિસ
થોડા દિવસ અગાઉ સમગ્ર ગુજરાતમાં 1500 કિલો બટાટાનો કરાયો હતો નાશ
ગુજરાતમાં પાણીપુરીના સ્ટોલ પર લોકોની ભીડ હમેશા જોવા મળતી હોય છે. પરંતુ આ જ પાણીપુરના કારણે અનેક લોકો બીમાર પણ થાય છે. ત્યારે ગુજરાતમાં તહેવારની શરૂઆત પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 636 જેટલા નમૂના લીધા હતા. આ સાથે 1500 કીલો ગ્રામ બટાકાના માવાનો નાશ પણ કરાયો હતો. તો 1,335 લીટર પકોડીના પાણીનો પણ નાશ કર્યો હતો. કુલ 90,569 કિંમતના ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો.