વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલની જગ્યાએ હવે 18મીએ અમરેલી ખાતે જનસભાને સંબોધન કરશે. આમ અગાઉ નિયત કરાયેલ 17 એપ્રિલની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 18મીએ અમરેલીમાં ચૂંટણી સભાને ગજવશે.
લોકસભાની ચૂંટણીનો રાજકીય જંગ જ્યારે દેશભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે આગામી 23 તારીખે ગુજરાતમાં યોજાનારી લોકસભા ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ મોદી રાજ્યના સુરેન્દ્નનગર અને અમરેલી ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે. જેમાં અમરેલી ખાતે તેઓ જીમખાનામાં સભાને સંબોધન કરશે.
જો કે એક અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલની જગ્યાએ હવે 18મીએ અમરેલી ખાતે જનસભાને સંબોધન કરશે. આમ અગાઉ નિયત કરાયેલ 17 એપ્રિલની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 18મીએ અમરેલીમાં ચૂંટણી સભાને ગજવશે.
આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમરેલીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીના ગઢમાં પીએમ મોદી સભાને સંબોધન કરશે. અગાઉ 17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 10 એપ્રિલના રોજ ગુજરાતની ચૂંટણીલક્ષી મુલાકાતે આવ્યા હતા. 10મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં બે સભાને સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ જૂનાગઢ ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જ્યારે પીએમ મોદીએ સોનગઢમાં બારડોલી અને નવસારી લોકસભા વિસ્તાની જનતાને સંબોધન કર્યું હતું.