ઈસરોના વૈજ્ઞાનિકોએ આજે એટલે કે 3 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડરને સફળતા પૂર્વક ડિઓર્બિટ કર્યું છે. ચંદ્રયાન -2થી અલગ થયા બાદ 20 કલાકથી વિક્રમ લેન્ડર પોતાના ઓર્બિટરની અલગ કક્ષામાં ચક્કર લગાવી રહ્યું હતું. પણ હવે તે ઊંધી દિશામાં આંટા મારશે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરોના વૈજ્ઞાનિકોએ 3 સપ્ટેમ્બરની સવારે 8.50 મિનિટે વિક્રમ લેન્ડરને વિપરિત કક્ષામાં નાંખ્યું છે. સોમવારે ચંદ્રયાન-2થી અલગ થયા બાદ લગભગ 20 કલાકથી વિક્રમ લેન્ડર પોતાના ઓર્બિટરની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું હતું. પણ હવે તે ઓર્બિટરની વિરુદ્ધ દિશામાં જશે. તેને ડિઓર્બિટર કહે છે. ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતર્યા પહેલાં સુધી વિક્રમ લેન્ડર લગભગ 2 કિમી પ્રતિ સેકંડની ગતિએ ચંદ્રની ચારે તરફ આંટા મારશે.
ચંદ્રયાન-2 કુલ 3 ભાગથી બનેલું છે. પહેલું ઓર્બિટર, બીજું વિક્રમ લેન્ડર અને ત્રીજું પ્રજ્ઞાન રોવર. વિક્રમ લેન્ડરની અંદર પ્રજ્ઞાન રોવર છે જે સોફ્ટ લેન્ડિંગ બાદ બહાર નીકળશે.વિક્રમ લેન્ડર આવનાપા લગભગ 31 કલાક સુધી ચંદ્રના 104 કિમીના એપોઝી અને 128 કિમીની પેરોઝીમાં આંટા મારશે. ત્યાર બાદ 4 સપ્ટેમ્બરે 4 વાગ્યાની આસપાસ ફરી પોતાની કક્ષા બદલશે. તે સમયે તે એપોઝી 36 કિમી અને પેરોઝી 110 કિમી હશે. આવનારા 3 દિવસો સુધી વિક્ર્મ લેન્ડર આ જ અંડાકાર કક્ષામાં ચંદ્રના આંટા મારશે. આ સમયે ઈસરો વૈજ્ઞાનિક વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની તપાસ કરતા રહેશે.
#ISRO
The first de-orbit maneuver for #VikramLander of #Chandrayaan2 spacecraft was performed successfully today (September 03, 2019) at 0850 hrs IST.
7 સપ્ટેમ્બર હશે ખાસ દિવસ, ચંદ્ર પર ઉતરશે વિક્રમ લેન્ડર
6-7 સપ્ટેમ્બરની મધ્ય રાત્રે 1.40 કલાકે લેન્ડર ચંદ્ર પર ઉતરવાનું શરૂ થશે અને 15 મિનિટમાં 1.55 કલાકે વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર બે ક્રેટર મેન્જિનસ સી અને સિંપ્લીયસ એન વચ્ચે ઉતરશે.
લેન્ડિંગના બે કલાક (3.55 કલાક) પછી લેન્ડરથી રેમ્પ બહાર નીકળશે.
5.05 કલાકે રોઅરના સોલર પેનલ ખુલશે.
7 સપ્ટેમ્બરે સવારે 5.10 કલાકે ચાલવાનું શરૂ થશે.
45 મિનિટ પછી 5.55 કલાકે રોઅર ચંદ્ર પર ઉતરી જશે.
રોઅર ચંદ્ર પર ઉતરતાની સાથે તે લેન્ડર અને લેન્ડર રોઅરની સેલ્ફી લેશે.
જે તે દિવસે 11 વાગ્યાની આસપાસ મળી રહેશે.
14 દિવસ સુધી યાત્રા કરશે અને આ સમયે તે 500 મીટર દૂર સુધીનું અંતર કાપી લેશે.
વિક્રમ લેન્ડર- રૂસની મનાઈ પર ઈસરોએ બનાવ્યું સ્વદેશી લેન્ડર
લેન્ડરનું નામ ઈસરોના સંસ્થાપક અને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઈના નામથી રાખવામાં આવ્યું છે. તેમાં 4 પેલોડ છે. આ 15 દિવસનો પ્રયોગ છે. તેની શરૂઆતની ડિઝાઈન ઈસરોના સ્પેસ એપ્લીકેશન અમદાવાદે તૈયાર કરી છે. પછી તેને યૂઆરએસસીએ વિકસિત કર્યું છે.
પ્રજ્ઞાન રોવર - આ રોબોટ પર છે મિશનની જવાબદારી, 15 મિનિટમાં મળશે ડેટા
27 કિલોના આ રોબોટ પર આખા મિશનની જવાબદારી છે. તેમાં 2 પેલોડ છે. ચંદ્રની આસપાસ તે 400 મીટરનું અંતર ફરશે. આ સમયે તે અનેક પ્રયોગ કરશે. ચંદ્રથી મળેલી જાણકારી વિક્રમ લેન્ડર પર મોકલવામાં આવશે અને અહીંથી ઓર્બિટરને ડેટા મળશે. તેને ઈસરો સેન્ટર પર મોકલાશે. આ પ્રક્રિયામાં ડેટા ઘરતી પર આવતાં 15 મિનિટ લાગી શકે છે.