ચંદ્રયાન-2 (Chandrayaan 2) ના લેન્ડર 'વિક્રમ'નું ચંદ્ર પર ઉતરતા સમયે જમીની સ્ટેશન પરથી સંપર્ક તુટવા પર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ શનિવારે કહ્યું કે નિરાશ થવાની કોઇ જરૂર નથી. નાયડૂના મંત્રાલયે ટ્વિટ કર્યું, 'નિરાશ થવાની કોઇ જરૂર નથી. ઇસરોનો માત્ર લેન્ડરથી સંપર્ક તુટ્યો છે. 1.3 અરબ ભારતીયોની આશા નહીં...'
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ઓર્બિટર પોતાના પેલોડની સાથે હજુ પણ કામ કરી રહ્યું છે. એમણે લખ્યું, 'હું ઇસરોના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ચંદ્રયાન-2 (Chandrayaan 2) સાથે જોડાયેલા તમામ લોકોએ અવકાશ અન્વેષણમાં નવા મોરચે વિજય પ્રાપ્ત કરવાના પ્રયાસમાં એમની તનતોડ મહેનત અને પ્રતિબદ્ધતા માટે સલામ કરુ છું.'
નાયડૂએ ભારતીય અનુસંધાન સંગઠન (ઇસરો)ને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ આપતા કહ્યું કે દેશને તેમના પર ગર્વ છે. નોંધનીય છે કે ચંદ્રયાન-2ના લેન્ડર 'વિક્રમ'નું ચંદ્ર પર ઉતરતા સમયે જમીની સ્ટેશનથી સંપર્ક તુટી ગયો. સંપર્ક ત્યારે તુટ્યો, જ્યારે લેન્ડર ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઉંચાઇ પર હતો.
લેન્ડરને રાત્રે લગભગ 1.38 કલાકે ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ ચંદ્ર પર નીચેની તરફથી આવતા સમયે 2.1 કિલોમીટરની ઉંચાઇ પર જમીની સ્ટેશનથી તેનો સંપર્ક તુટી ગયો.