ચંદ્રયાન 2 ચંદ્ર પર ઉતરતા પહેલા 2.1 કિમી દૂર હતું ત્યારે સંપર્ક તૂટ્યો છે. ઇસરો આંકડાની રાહ જોઇ રહ્યું છે. ચંદ્ર પર પહોંચતા પહેલા ચંદ્રયાનનો સંપર્ક તૂટવાથી વૈજ્ઞાનિકોના ચેહરા પર ચિંતા દેખાઇ રહી છે. ત્યારે પીએમ મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારતા કહ્યું કે તમે બહુ જ સારૂ કામ કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરો સેન્ટરમાં વૈજ્ઞાનિકોનો જુસ્સો વધાર્યો હતો. તેમણે વૈજ્ઞાનિકોના ઘણા વખાણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. તેમણે કહ્યું આપણે નિરાશાવાદી નથી, યાત્રા શરૂ રહેશે.
PM મોદીએ વૈજ્ઞાનિકોના વખાણ કર્યા
PM મોદીએ કહ્યું કે, જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. આ કોઇ નાની ઉપલબ્ધિ નથી. દેશ તમારા લોકોની મહેનત પર ગર્વ કરે છે. મારા તરફથી આપ સૌને શુભેચ્છાઓ. તમે લોકોએ વિજ્ઞાન અને માનવ જાતિની ઘણી મદદ કરી છે. આગળ પણ પ્રયાસ ચાલુ રાખીશું. હું સમગ્ર રીતે તમારી સાથે છું. ઓલ ધ બેસ્ટ.
પીએમ મોદીએ કર્યું ટ્વીટ, ભારતના વૈજ્ઞાનિકો પર ગર્વ
પીએમ મોદીનું ટ્વીટ, ભારતને પોતાના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેમણે હંમેશા પોતાનું સર્વોત્તમ આપ્યું અને ભારતને ગૌરવવંતુ કર્યું.
India is proud of our scientists! They’ve given their best and have always made India proud. These are moments to be courageous, and courageous we will be!
Chairman @isro gave updates on Chandrayaan-2. We remain hopeful and will continue working hard on our space programme.
મહત્વનું છે કે આ પહેલા રાત્રે એક કલાક 52 મિનિટ 54 સેકેન્ડ પર ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 2 લેન્ડ કરવાનું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા પીએમ મોદી પણ ઇસરો સેન્ટર પહોંચ્યા હતા.