ભારત મિશન ચંદ્રયાન 2 દ્વારા એક નવી સફળતા પ્રાપ્ત કરનાર છે. ઇસરોનું ચંદ્રયાન 2 ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરનાર છે. ભારતનું આ બીજુ ચંદ્ર મિશન ચંદ્રના અત્યાર સુધીના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રોના રહસ્યોને સામે લાવી શકે છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ ભારતના બીજા ચંદ્ર મિશનની સૌથી મોટી પડકાર જનક બાબત છે અને ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) એ આ પહેલા ક્યારેય પણ આ પ્રકારના કોઇપણ મિશન હાથ ધરેલ નથી.
દક્ષિણ ધ્રુવની જ કેમ કરાઇ પસંદગી ?
ચંદ્રયાન-2 પોતાના નિયત સમય મુજબ કોઇપણ પ્રકારની અડચણ વગર દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બની જશે. અત્યાર સુધીમાં વિશ્વનો કોઇપણ દેશ આ ભાગ તરફ ગયો નથી.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ચંદ્રના દક્ષિણ ભાગ વિશે દુનિયાને ઘણી ઓછી જાણકારી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૂર્યનો પ્રકાશ પણ ઓછી માત્રામાં પહોંચે છે. ચંદ્રની ધરીના થોડા ઝૂકાવના કારણે દક્ષિણી ધ્રુવના કેટલાક વિસ્તાર કાયમ માટે સૂર્યના પ્રકાશ વિહોણા રહે છે.
નોંધનીય છે કે, આ વિસ્તારમાં ઘણા મોટા ખાડાઓ આવેલા છે, જેને 'કોલ્ડ ટ્રેપ્સ' તરીકે ઓળખવામાં આવે છે. અહીં તાપમાન શૂન્યથી 200 ડિગ્રી સુધી નીચે પણ જતું હોય છે. આના કારણે ના માત્ર પાણી પરંતુ બીજા તત્વો પણ ઠરીને ઠામ થઈ જતા હોય છે.
તાપમાન આટલું નીચું જતું હોવાને કારણે અલગ-અલગ પ્રકાશની ઘણી બધી ગેસ પણ જામી જતો હોય છે. ત્યારે આ વિષયની વધુમાં જાણકારી ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર દ્વારા પ્રાપ્ત થઇ શકે છે. જેના કારણે ભારતે પ્રથમ વખત આ દક્ષિણ ધ્રુવની પસંદગી કરેલી છે.
શું છે Chandrayaan 2ની ખાસિયત
તમને જણાવી દઇએ કે ચંદ્રયાન 2ની કેટલીક ખાસિયત. Chandrayaan 2 અંતરિક્ષ યાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલું ભારતીય અભિયાન હશે. આ મિશન ભારતને અમેરિકા, રશિયા અને ચીન બાદ ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ચોથો દેશ બનશે.
નાના બાળકની કાળજી લેવી પડે તે રીતે રાખવામાં આવશે કાળજી
જો તમે યાન દ્વારા કાંઇ છોડવા માગો છો તે કોઇ ફુટબોલની જેમ નીચે પડે છે. આ એક જટિલ પ્રક્રિયા છે જે આપણા માટે એકદમ નવી જ છે. જે લોકો આ પહેલા પણ કાર્ય કર્યું હતું તેમના માટે પણ તે એક જટિલ પ્રક્રિયા છે. જેને આપણે પ્રથમ વખત કરી રહ્યા છીએ.
આપણા માટે અંતિમ 15 મિનિટ ખુબ જ અગત્યની છે. જેમ યાન નીચે આવી રહ્યું હોય અને ત્યારે કાળજી લેવી પડે એવી જ રીતે કોઇ બાળકનો હાથ પકડીને નીચે ઉતારવાનુ હોય તે કામ યાનની પ્રોપલ્શન સિસ્ટમ કરે છે.
ચંદ્રયાન 2 નું વજન 3877 કિલો છે. 22 જુલાઇએ આ દેશની સૌથી તાકતવર GSLV માર્ક 3 રોકેટથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધૃવ પર આ લેન્ડરને ઉતારવામાં આવશે. લેન્ડરના ઊતરતા જ દક્ષિણ ધૃવ પર યાન ઉતારનાર ભારત પહેલો દેશ બની જશે.