આમ તો ગ્રહણ એ ખગોળની ઘટના છે, પરંતુ હિંદુ ર્ધમમાં તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે 2020માં કુલ 6 ગ્રહણ લાગવાના છે. જેમાંથી કુલ 3 ગ્રહણ 30 દિવસમાં એટલે કે એક મહિનાની અંદર લાગવાના છે. જૂનથી જુલાઈ મહિનાની વચ્ચે એક પછી એક સતત 3 મોટા ગ્રહણ થવાના છે. એક મહિનામાં થનારા 3 ગ્રહણ પર વૈજ્ઞાનિકો અને જ્યોતિષ શાસ્ત્રોના વિદ્વાનોની નજર છે. જ્યોતિર્વિદ કરિશ્મા કૌશિકે આવનારા 3 ગ્રહણના સમય અને તિથિને લઈને વિસ્તારથી જાણકારી આપી છે.
આ મહિનામાં 3 ગ્રહણ લાગવાના છે
આ વર્ષે 2020માં કુલ 6 ગ્રહણ લાગવાના છે
જેમાંથી 1 ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે
જ્યોતિષવિદે જણાવ્યું છે કે વર્ષમાં પહેલા પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી 2020માં થયુ હતુ. હવે 5 જૂન 2020માં વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ છે. આ એક ઉપછાયા ગ્રહણ હશે જે ભારત સહિત એશિયા, આફ્રિકા અને યુરોપમાં જોવા મળશે.
ગ્રહણનો સમય
5 જૂન 2020ના રોજ થનારુ ચંદ્ર ગ્રહણ રાતના 11.15 વાગે શરુ થશે અને તે 6 જૂનના રાતના 2 .34 મિનિટે પુરુ થશે.
આના 15 દિવસ પછી 21 જૂન 2020ના રોજ બીજુ ચંદ્રગ્રહણ થશે. જે વર્ષનું ત્રીજુ ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણ ભારત સહિત સાઉદી, સાઉથ -ઈસ્ટ અને એશિયામાં પણ સંપૂર્ણ રીતે નજરે પડવાની સંભાવના છે.
ગ્રહણને સમય
21 જૂનના રોજ થનારું ચંદ્ર ગ્રહણ સવારે 9 .15 વાગે શરુ થશે જેબપોરે 2.02 મિનિટ સુધી રહેશે. જ્યોતિર્વિદનું કહેવું છે કે બપોરે લગભગ 12 વાગે આ ગ્રહણનો પ્રભાવ ઘણો વધારે હશે. ત્યારે આ ગ્રહણ સમયે ઘણું સંભાળવાની જરુર છે.
આ બાદ એક મહિનાની અંદર લાગનારા ત્રીજા ગ્રહણની તારીખ 5 જુલાઈ 2020 છે. આ પણ એક ગ્રહણ જ હશે. પરંતુ આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. આ સાઉથ ઈસ્ટ સહિત આફ્રીકા અને અમેરિકામાં નજરે પડી શકે છે.
ગ્રહણનો સમય
આ ગ્રહણ સવારે 8.37 વાગે સવારે 11.22 મિનિટે શરુ થશે. સવારે ચંદ્રગ્રહણ હોવાને કારણે ભારતમાં તે જોઈ શકાશે નહીં. જે દિવસોમાં આ સમયે રાત હશે ત્યા ગ્રહણ જોઈ શકાશે.