વર્ષ 2020નું આ છેલ્લું ચંદ્રગ્રહણ આજે યોજાશે. આ ગ્રહણ ભારત સહિત અનેક દેશોમાં દેખાશે. આજનું ચંદ્રગ્રહણ ઉપછાયા ગ્રહણ હોવાના કારણે તેની કોઈ ખાસ અસર થશે નહીં. ગ્રહણ બપોરે 1.04 મિનિટે શરૂ થશે અને 5.22 મિનિટે સમાપ્ત થશે. મળતી માહિતી અનુસાર આ ગ્રહણને સીધી રીતે જોઈ શકાશે નહીં. ભારતમાં આ ગ્રહણની ખાસ અસર પણ રહેશે નહીં. આ ગ્રહણની ખાસ કરીને વૃષભ રાશિ પર નકારાત્મક અસર થઈ શકે તેમ હોવાથી આ રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે.
આજે વર્ષ 2020નું છેલ્લું ચંદ્રગ્રહણ
વૃષભ રાશિના જાતકોએ સાવધાની રાખવાની જરૂર
ગ્રહણ બપોરે 1.04 મિનિટે શરૂ થશે અને 5.22 મિનિટ સુધી રહેશે
ચંદ્રગ્રહણ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં યોજાશે
આજે યોજાનારું ચંદ્રગ્રહણ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં પડશે. તેનાથી દરેક રાશિને સામાન્ય અસર થશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે દરેક વ્યક્તિના જીવનમાં ગ્રહણની વિપરિત અસર રહેશે. જો કે તમારે તેનાથી ડરવાની જરૂર નથી. ગ્રહણની અસરથી બચવા માતાની સેવા કરો અને તેમને પ્રસન્ન રાખો.
વૃષભ રાશિના જાતકો રહે સાવધ
આ રાશિના જાતકો માટે સમય અને થોડા દિવસો સાવધાની રાખવાની રહેશે. ખાસ કરીને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.
ચંદ્રગ્રહણનો સમય
ગ્રહણ બપોરે 1.04 મિનિટે શરૂ થશે અને 5.22 મિનિટ સુધી રહેશે
ગર્ભવતી મહિલાઓએ રાખવી સાવધાની
જ્યોતિષ અનુસાર દરેક ગ્રહણનો એક સૂતક કાળ હોય છે જેના અનુસાર ધ્યાન અને મંત્રજાપ સિવાય કોઈ શુભ કાર્ય કરી શકાતું નથી. જો ગ્રહણ ઉપછાયા રહે છે તો કોઈ સૂતક કાળ રહેશે નહીં. ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ ઘરના વૃદ્ધોની સલાહ અનુસાર ઉપાય અપનાવવા જોઈએ.