આજથી રાજપથનું નામ પણ બદલાઈ જશે, અંગ્રેજોના કાળથી પ્રખ્યાત આ જગ્યા હવેથી કર્તવ્યપથના નામે ઓળખાશે.
આજે દેશ માટે મહત્વપૂર્ણ દિવસ
દેશની રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથનું લોકાર્પણ
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ
દેશની રાજધાની દિલ્હીમાં કાયાપલટ કરવા માટે છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે, નવી સંસદથી લઈને રાજપથના રિનોવેશન સુધી અનેક કામો કરવામાં આવ્યા છે ત્યારે આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે. આજે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
Kartavya Path | Before and after pictures, after development work at Central Vista in Delhi. pic.twitter.com/l41MtkGDhg
આજથી રાજપથ થઈ જશે કર્તવ્યપથ
આજથી રાજપથનું નામ પણ બદલાઈ જશે, અંગ્રેજોના કાળથી પ્રખ્યાત આ જગ્યા હવેથી કર્તવ્યપથના નામે ઓળખાશે. ત્રણ કિમીના સમગ્ર રસ્તાને કરોડોના ખર્ચે નવો રૂપ આપવામાં આવ્યો છે જેનું આજે પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.
Delhi's Central Vista Avenue wears an all-new look as it is set to open for the people pic.twitter.com/IXhhlK21G4
નેતાજીની મૂર્તિનું અનાવરણ
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પીએમ મોદી માટે ડ્રીમ પ્રોજેક્ટ છે જેના એક હિસ્સાનું આજે લોકાર્પણ છે. આજે સાંજે સાત વાગે કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને 28 ફૂટ ઊંચી, 65 મેટ્રિક ટન વજનની ગ્રેનાઇટથી તૈયાર કરાયેલ નેતાજીની મૂર્તિનું પણ અનાવરણ કરશે.
Delhi | Visuals from the redeveloped Central Vista Avenue that will soon be ready for public use pic.twitter.com/M0hsAwhfz9
કેવો છે કર્તવ્ય પથ
કર્તવ્ય પથ ત્રણ કિમી લાંબો છે અને તેના પર 4,087 વૃક્ષો લગાવવામાં આવ્યા છે અને 114 સ્માર્ટ ઈન્ડિકેટર છે. 900થી વધારે લાઇટ્સ, 8 સુવિધા ખંડ પણ બનાવવામાં આવ્યા છે અને અહીં 987 થાંભલા છે જે કોન્ક્રીટથી બન્યા છે. આ સિવાય 6 પાર્કિંગ સ્થળ, 6 વેડિંગ ઝોન સહિત અનેક કામો કરવામાં આવ્યા છે અને વિકાસ કરવામાં આવ્યો છે.