શું દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શને જોતા કેન્દ્ર સરકાર દ્વારા તેમાં મંથન કરાવની શરૂઆત કરવામાં આવી છે? ખરેખર તો આ સવાલ કેન્દ્રીય સામાજીક ન્યાય મંત્રી રામદાસ અઠાવલેના નિવેદન બાદ ઉઠવા લાગ્યાં છે.
અન્ના હજારે સાથેમી મુલાકાત બાદ અઠાવલેએ આપ્યું નિવેદન
ભાવનાઓને જોતાં CAA માં ફેરફાર શક્ય
નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજા દેવાની માંગને લઇને મૌન વ્રત પર બેઠેલા અન્ના હજારેની મુલાકાત બાદ અઠાવલેએ કહ્યું હતું કે CAA કાયદો મુસ્લિમ વિરોધી નથી, પરંતુ તેને લઇને ભ્રમ ઉભો કરવામાં આવી રહ્યો છે.
निर्भया हत्याकांडातील गुन्हेगारांना फाशीची शिक्षा होण्यासाठी ज्येष्ठ समाजसेवक अण्णा हजारे यांच्या सुरू असलेल्या मौनव्रत आंदोलनाला आज राळेगणसिद्धी येथे अण्णा हजारे यांची भेट घेऊन रिपब्लिकन पक्षाच्या वतीने मी त्यांना पाठिंबा दिला.. pic.twitter.com/iHHrB6TWQy
કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ કહ્યું કે લોકોની ભાવનાઓનો વિચાર કરતાં તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે. જેના પર સરકારે આ મુદ્દે કેટલા સુચનો મંગાવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સરકાર CAA પર થોડું પણ પીછે હઠ નહીં કરે. જો કે રાલેગણ સિદ્ધિમાં છેલ્લા 34 દિવસથી મૌન વ્રત પર બેઠેલા અન્ના હજારે સાથે મુલાકાત બાદ રામદાસ અઠાવલેએ સંકેત આપ્યાં છે કે સરકાર આ કાયદા પર મંથન (વિચાર) કરવાના મૂડમાં છે.
આ અગાઉ લખનઉ રેલીમાં સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું 70 વર્ષથી પીડિત લોકોને પીએમ મોદીએ જીવનનો નવો અધ્યાય શરૂ કરવાની તક આપી છે. હું ડંકાની ચોટ પર કહી રહ્યો છું કે જેને વિરોધ કરવો હોય તે કરી લે, CAA પરત નહી થાય.