આખા દેશમાં આજે 71માં ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ભારતીય સેનાના જવાનોએ 17 હજાર ફીટની ઉંચાઈ પર લદ્દાખમાં તિરંગો ફરકાવ્યો છે. જ્યારે તેઓએ તિરંગો ફરકાવ્યો ત્યારે 20 ડિગ્રી તાપમાનની વચ્ચે ભારતમાતા કી જય અને વંદે માતરમની વચ્ચે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
લદ્દાખમાં સેનાના જવાનોએ લહેરાવ્યો તિરંગો
17 હજાર ફીટની ઉંચાઈએ લહેરાવ્યો તિરંગો
માઈનસ 20 ડિગ્રી તાપમાનની વચ્ચે લહેરાવ્યો તિરંગો
Indo-Tibetan Border Police (ITBP) personnel with the national flag celebrating #RepublicDay at 17,000 feet today. The temperature in Ladakh at present is minus 20 degrees Celsius. pic.twitter.com/FwnADvE5a2
જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ લદ્દાખમાં પહેલીવાર ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે એક રેલીમાં કહ્યું કે આર્ટિકલ 370 હટ્યા બાદ પહેલીવાર કાશ્મીરમાં ખુલ્લા મન અને જોશથી ગણતંત્ર દિવસ મનાવવામાં આવશે.
#WATCH Indo-Tibetan Border Police (ITBP) personnel with the national flag celebrating Republic Day at 17000 feet in snow today. The temperature in Ladakh at present is minus 20 degrees Celsius. 'Himveers' chanting 'Bharat Mata Ki Jai' and 'Vande Mataram'. pic.twitter.com/ANCe8txnFI
રાષ્ટ્રપતિ અને પીએમ મોદીએ દેશવાસીઓને આપ્યા અભિનંદન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ દેશવાસીઓને 71માં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે દરેક દેશવાસીઓએ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.