કોરોના મહામારીની વચ્ચે દેશભરમાં લોકો પરેશાન થઇ ગયા છે. જોકે આ મહામારીની સામે જંગ જીતવા માટે મોટી હસ્તીઓ, ખેલાડીઓથી લઇને સામાન્ય લોકો સેવાના ભાવથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્વારા શરૂ કરવામાં આવેલા રિલીફ ફંડમાં દાન કરી રહ્યા છે
દર્શની દેવીએ પીએમ રિલીફ ફંડમાં 2 લાખ રૂપિયા આપ્યા
પતિ 1965 માં થયેલા યુદ્ઘમાં શહીદ થયા, 82 વર્ષની છે આ મહિલા
ચીફ ઑફ ડિફેન્સે સ્ટાફ બિપિન રાવતે પણ કર્યા વખાણ
એવામાં આદર્શ મિસાલ ઉત્તરાખંડની એક વુદ્ઘ મહિલા દર્શની દેવીએ રજૂ કરી છે, જે શહીદ સૈનિકની પત્ની છે. ઉત્તરાખંડની 82 વર્ષની દર્શની દેવીએ પીએમ રિલીફ ફંડમાં પોતાના જીવનભરની જમાપૂંજી 2 લાખ રૂપિયા દાન કરી દીધા. આ વુદ્ઘ મહિલાએ કેદારનાથના પાસે એક સુદૂર ગામમાં રહે છે.
આ વુદ્ઘ વિધવા મહિલા 1965 ના યુદ્ઘમાં શહીદ થનારા સૈનિકના પત્ની છે. જ્યારે દર્શની દેવીના પતિ શહીદ થયા હતા ત્યારે તેમની ઉંમર માત્ર 22 વર્ષ હતી.પાકિસ્તાનની સાથે યુદ્ઘમાં તેઓ શહીદ થયા હતા.
દર્શની દેવીએ ઉત્તરાખંડમાં પોતાના ગામની સ્થાનીય અધિકારીઓની મદદથી 2 લાખ રૂપિયા દાન કર્યા છે. 82 વર્ષીય દેવીની આ પહેલને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે પણ વખાણ કર્યા છે. તેમણે કહ્યુ કે, ''આ તે સેના છે જે વર્ષોથી હતી અને આ તેજ સેના છે જેના પર ભવિષ્યમાં થયેલા બદલાવની સાથે ગર્વ કરશે, જે અમે મેળવવા માટે પ્રયાસ કરીએ છીએ. અમને દર્શની દેવી પર ગર્વ છે. અમે ઘણા લોકોના ઉદાહરણથી શીખ લેવી જોઇએ.''