CBSEએ કોરોનાથી માતાપિતા ગુમાવનાર 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે.
કોરોનાથી માતાપિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને મોટી રાહત
10 અને 12 ના વિદ્યાર્થીઓને અપાઈ પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ
CBSE કરી જાહેરાત
પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફી મુક્તિની કેન્દ્રીય માધ્યમમિક શિક્ષણ બોર્ડની જાહેરાતથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ખૂબ મોટી રાહત મળશે.
🔲 #CBSE announces exemption of exam fees- examination fees, registration fees for class X and XII student(s), who have lost both parents or surviving parents/legal guardian due to #COVID19; for academic session 2021-22. @cbseindia29pic.twitter.com/QyDDNw1Tt2
CBSE પરીક્ષા નિયામક સન્યમ ભારદ્વાજે જણાવ્યું કે વિદ્યાર્થીઓ પર કોરોનાની અસરને ધ્યાનાં રાખીને શૈક્ષણિક વર્ષ 2021-22 માટે આ નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીમાં માતાપિતા, વાલી કે રખેવાળ ગુમાવનાર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી કે બીજી કોઈ ફી ચુકવવાની રહેશે નહીં.
તેમણે કહ્યું કે ધોરણ 10 અને 12 ના ઉમેદવારોની યાદી સોંપતી વખતે સ્કૂલો આવા વિદ્યાર્થીઓની યાદી પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સીબીએસઈએ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ અસેસમેન્ટ સ્કીમ ખુલ્લી મૂકી હતી.
કોરોનામાં હજારો બાળકોએ માતાપિતા ગુમાવ્યા છે
ઉલ્લેખનીય છે કોરોનામાં હજારો બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યાં છે આવા વિદ્યાર્થીએને રાહત આપવા માટે સીબીએસઈએ ફી માફીનો નિર્ણય કર્યો છે.