હાલ કોરોના સંક્રમણને કારણે દેશભરમાં 17 મે સુધી લોકડાઉન છે. આ દરમિયાન માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરીયાલ નિશંકે એક ટ્વિટ દ્વારા માહિતી આપી છે કે, સીબીએસઈ બોર્ડની બાકીની પરીક્ષાઓ જુલાઈમાં લેવામાં આવશે.
કોરોનાને કારણે દેશમાં બોર્ડની પરીક્ષાઓ પણ અટવાઈ
હવે સીબીએસઈની 10મા અને 12માની પરીક્ષાઓ અંગે લેવાયો નિર્ણય
આ તારીખથી સીબીએસઈ બોર્ડની બાકીની પરીક્ષાઓ લેવામાં આવશે
નિશંકે જણાવ્યું કે, લાંબા સમયથી સીબીએસઈના 10મા અને 12મા ધોરણની બાકી રહેલી પરીક્ષાઓની તારીખની રાહ જોવાતી હતી, આજે આ પરીક્ષાઓની તારીખ 1.07.2020 થી 15.07.2020ની વચ્ચે નક્કી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સીબીએસઈનું કહેવું હતું કે, જો તેમને 10 દિવસનો પણ સમય આપી દેવામાં આવશે, તો તેઓ બાકીની પરીક્ષાઓ પૂર્ણ કરીને રિઝલ્ટનું કામ શરૂ કરી શકે છે. હવે આ તારીખો જાહેર થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે સીબીએસઇ ઓગસ્ટમાં પરિણામ જાહેર કરી દેશે. આ સાથે જ સીબીએસઈ એ પણ સ્પષ્ટતા કરી હતી કે, 10મા બોર્ડની બાકીની પરીક્ષાઓ માત્ર દિલ્હીના ઉત્તર-પૂર્વના જિલ્લાઓમાં જ લેવાશે. બાકી સીબીએસઈ 12માના 29 મુખ્ય વિષયોની પરીક્ષાઓ લેશે.
लंबे समय से #CBSE की 10वीं और 12वीं की बची हुई परीक्षाओं की तिथि का इंतज़ार था, आज इन परीक्षाओं की तिथि 1.07.2020 से 15.07.2020 के बीच में निश्चित कर दी गई है। मैं इस परीक्षा में भाग लेने वाले सभी विद्यार्थियों को अपनी शुभकामनाएं देता हूँ।@HRDMinistry@PIB_India@DDNewslivepic.twitter.com/NVexiKgVA1
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 8, 2020
એક એપ્રિલે સીબીએસસીએ કહી હતી આ વાત
સીબીએસઈએ 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓના રિ-શેડ્યૂલ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, હવે આ સ્ટેજ પર બોર્ડની પરીક્ષાઓનું નવું શેડ્યૂલ બનાવવું અને તેની જાહેરાત કરવી મુશ્કેલ છે. બોર્ડે કહ્યું હતું કે, બોર્ડની પરીક્ષાઓ યોજવા અંગેનો કોઈપણ નિર્ણય ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી અને પ્રવેશ પરીક્ષા, પ્રવેશની તારીખ વગેરે સંબંધિત તમામ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવશે. બોર્ડ પરીક્ષા શરૂ કરતા પહેલા તમામ હોદ્દેદારોને લગભગ 10 દિવસની નોટિસ આપશે.
બોર્ડની પરીક્ષાના વિષય અંગે સીબીએસઇએ જણાવ્યું છે કે, કોરોના મહામારીને કારણે બોર્ડ 8 પરીક્ષાઓના દિવસોમાં પરીક્ષા લઈ શક્યું નહીં. વળી, ઉત્તર પૂર્વ દિલ્હી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે બોર્ડ 4 પરીક્ષાના દિવસોનું આયોજન કરી શક્યું ન હતું. બોર્ડે કહ્યું કે, ઉત્તર પૂર્વ દિલ્હીના બહુ ઓછાં વિદ્યાર્થીઓ 6 પરીક્ષાના દિવસોમાં લેવામાં આવતી પરીક્ષામાં હાજર રહી શક્યા નહોતા.
આ રીતે અસાધારણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી બોર્ડે આ સંબંધમાં તેની નીતિની સમીક્ષા કરવાની ફરજ પાડવામાં આવી છે. વર્તમાન સ્થિતિમાં, બોર્ડે આ રીતે નિર્ણય લીધો છે.
બોર્ડ ફક્ત મુખ્ય વિષયો માટે પરીક્ષાઓનું આયોજન કરશે. જે પ્રમોશન માટે જરૂરી હશે અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે મહત્વપૂર્ણ રહેશે.
બાકીના વિષયો માટે બોર્ડ પરીક્ષા લેશે નહીં. આવા તમામ કેસોમાં માર્કિંગ / મૂલ્યાંકન માટેની સૂચનાઓ બોર્ડ દ્વારા અલગથી જારી કરવામાં આવશે.
તેથી, જ્યારે પરીક્ષા લેવા માટે સ્થિતિ અનુકૂળ હશે ત્યારે પરીક્ષા ફક્ત 29 વિષયો માટે પરીક્ષા લેવામાં આવશે.