એક મોટી કાર્યવાહીમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી એન્ટરપ્રાઇઝિસ અને બહુ-રાજ્ય ભારતીય રાષ્ટ્રીય ગ્રાહક સહકારી મંડળ લિમિટેડ (NCCF) ના પૂર્વ અધ્યક્ષ અને ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આંધ્રપ્રદેશના બંદરોથી વીજ મથકો પર પૂરા પાડવામાં આવતા કોલસાની પરિવહન માટે અમદાવાદ સ્થિત આ કંપનીની પસંદગીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવે છે.
સીબીઆઇએ અદાણી એન્ટરપ્રાઇઝિસ પર કેસ નોંધ્યો
NCCFના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મેનેજિંગ ડિરેકટર સામે કેસ
કંપીની પસંદગીમાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ
NCCFના તત્કાલીન અધ્યક્ષ વિરેન્દ્રસિંહ, તેના તત્કાલિન MD જી.પી.ગુપ્તા અને ત્યારબાદ વરિષ્ઠ સલાહકાર એસ.સી.સિંઘલ, અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અન્ય સરકારી સેવકો સામે ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો છે. CBI ના જણાવ્યાં અનુસાર, પ્રાથમિક તપાસમાં આરોપી અધિકારીઓ અને અદાણી એન્ટરપ્રાઇઝને આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.
ખરેખર, આંધ્રપ્રદેશ પાવર જનરેશન કોર્પોરેશન (APJK) 29 જૂન, 2010 ના રોજ, કડાપા ખાતે રાયલસીમા થર્મલ પાવર પ્લાન્ટ અને વિજયવાડા ખાતેના નરલા ટાટા રાવ થર્મલ પાવર પ્લાન્ટને આયાત કરાયેલા છ લાખ મેટ્રિક ટન કોલસાની સપ્લાય માટે ટેન્ડરોની મર્યાદિત તપાસ કરી હતી. ત્યારબાદ ટેન્ડરની તપાસ ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ આવેલી NCCF સહિત સાત સરકારી કંપનીઓને સોંપવામાં આવી હતી.
CBIની FIR મુજબ આરોપીએ અમદાવાદ સ્થિત આ કંપનીને કામ આપવા ટેન્ડર નિયમોનો ભંગ કર્યો હતો. જો કે, અદાણી એન્ટરપ્રાઇઝે આ ક્રિયા અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. CBIનો આરોપ છે કે NCCF અધિકારીઓએ જાણી જોઈને ગેરવર્તન કર્યુ હતું અને તેમાં તોડફોડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જાણે કે તેઓ લોકસેવક ન હોય અને અદાણી કંપનીની સાથે સાથે મળી કાવતરું ઘડ્યું હોય તેમ વર્તન કર્યું હતું.