જીવીકે ગ્રુપ ઓફ કંપનીઝના અધ્યક્ષ જી.વેંકતા ક્રિષ્ના રેડ્ડી અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સામે રૂ. 705 કરોડની ગેરરીતિ કરવા બદલ કેસ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ દાખલ કરેલા કેસમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ અને નવ અન્ય ખાનગી કંપનીઓનું નામ પણ છે. એફઆઈઆર મુજબ તે બધાએ પોતાના માટે 705 કરોડથી વધુનો ખોટી રીતે લાભ ઉઠાવવા અને 2012- વર્ષ 2018 ની વચ્ચે રાજ્ય સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો
ફરિયાદમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ અને નવ અન્ય ખાનગી કંપનીઓનું નામ
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ સામે રૂ. 705 કરોડની ગેરરીતિ કરવા બદલ કેસ
એફઆઈઆર મુજબ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અથવા એમઆઈએએલ નામની સંયુક્ત સાહસ કંપનીની રચના જીવીકે એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા અને કેટલીક અન્ય વિદેશી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. જીવીકેની પાસે 50.5 ટકા શેર છે અને 26 ટકા એએઆઈ પાસે છે. જીવીકે રેડ્ડી એમઆઈએએલના અધ્યક્ષ છે અને જીવી સંજય રેડ્ડી, જેને એફઆઈઆરમાં પણ સમાવાયા છે. એમઆઈઆઈએલના મેનેજિંગ ડિરેક્ટર છે.
તપાસ એજન્સીએ પોતાની એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ અન્ય 9 ખાનગી કંપનીઓ સાથે કરાર કરીને 310 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. એવું કહેવામાં આવે છે કે મુંબઈ એરપોર્ટની આજુબાજુમાં 2017-18ની વચ્ચે 200 એકર અવિકસિત જમીનના પાર્સલમાં સ્થાવર મિલકત વિકસાવાઈ હતી. એજન્સીએ આ અંગે સવાલ ઉઠાવ્યા છે.
એજન્સીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે "GVK ગ્રુપ ઓફ કંપનીઝના પ્રમોટરોએ એએઆઈને નુકસાન પહોંચાડવાના ગુનાહિત ઇરાદા સાથે 2012 અને 2018 ની વચ્ચે તેમની અન્ય જૂથ કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે MIAL ની સરપ્લસ રકમનો ઉપયોગ કરવાનું કામ કર્યુ હતું. એમઆઈએએલમાં એવું કહેવામાં આવ્યું છે કે જીવીકે ગ્રુપ ઓફ કંપનીના પ્રમોટરોએ એમઆઈએએલના ખર્ચમાં વધારો કરવા માટે સંયુક્ત સાહસ કંપનીના 100 કરોડથી વધુનો ગેરઉપયોગ કર્યો છે.