અમદાવાદમાં પાંચ દિવસ પૂર્વે BRTSના કર્મી ઉપર થયેલા ગંભીર હુમલા હોસ્પિટલમાં ભરતી થયેલા કર્મીની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
અમદાવાદમાં ઘાયલ BRTS કર્મીનું મૃત્યુ
5 દિવસ પહેલાં કર્મી પર થયો હતો ઘાયલ
દરવાજો ખોલવા બાબતે કર્મી પર થયો હતો હુમલો
5 દિવસ પહેલાં કર્મી પર થયો હતો ઘાયલ
અમદાવાદમાં BRTSના કર્મચારી ઉપર છરી વડે હુમલો થતાં કર્મચારીનુ સારવાર દરમ્યાન મોત નિપજતાં હડકંપ મચી ગયો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. અમદાવાદાના CTMના બસ સ્ટેશન ખાતે BRTSના કોરીડોરમાં અન્ય વાહનચાલકને ઘુસવા નહી દેતાં છાટકા વાહનચાલકે કર્મચારી ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. જેમાં BRTSના કર્મચારી જતિન પરમારને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં તેમનુ 5 દિવસની લાંબી સારવાર દરમ્યાન આજે મોત નિપજ્યુ છે..
મૃતકના પરિજનોનો હોબાળો
આથી પરિવારજનોએ હોસ્પિટલમાં પોલીસની કાર્યવાહીને ઉપર સવાલો ઉઠાવી હોબાળો કર્યો હતો.જેમાં મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસને આરોપી વિશેની તમામ માહિતી છે તેમ છતાં આરોપીઓની ધરપકડ નથી કરાઈ રહી. આમ BRTSના મૃતક કર્મચારીનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, જ્યાં સુધી આરોપીઓ સામે પગલા નહી ભરવામાં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશુ નહી.
પોલીસ ઉપર આરોપીઓને છાવરવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, ઘટનાના 4 દિવસ બાદ પણ આરોપી ન ઝડપી પાડવામાં આવ્યાં નથી. મહત્વનું છે કે, BRTS કોરીડોરમાં વાહનચાલકને ઘુસવા નહી દેતા છરીથી હુમલો કરાયો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસ આરોપીઓને છાવરી રહી છે.
શું હતી ઘટના ?
અમદાવાદમાં CTMના BRTS બસ સ્ટેશન ખાતે ચાર દિવસ પૂર્વે BRTSના કર્મચારીએ ઉપર કેટલાક શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવતાં કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરંતુ BRTSના અધિકારીઓ દ્વારા ઘાયલ કર્મીની સાર-સંભાળ પણ નહી લેવામાં આવતાં કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો.જેથી BRTSના કર્મચારીઓએ સુરક્ષાની માંગ સાથે BRTSના પૈડા થંભાવીને ન્યાયની માંગ કરી હતી.