નવસારીમાં ચીખલીથી સુરતના કામરેજ જઈ રહેલી કારને નડ્યો અકસ્માત, 3 લોકોના મૃત્યુ, બે બાળક સહિત 8 લોકો હતા કારમાં સવાર
નવસારીમાં અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ
બે મહિલા અને એક પુરુષનું મૃત્યુ
બે બાળક સહિત કુલ 10 લોકો ઈકો ગાડીમાં હતા સવાર
ગુજરાતમાં છાસવારે અકસ્માતની ઘટનાઓમાં લોકોના મોતનો ભોગ બની રહ્યા છે. નવસારીના ખડસુપા પાસે આજે ગોઝારો અકસ્માત સર્જાયો છે. કોઈ કારણસર ઇકો કાર ખડસુપા પાસે બંધ પડી ગઇ હતી અને એ વખતે એક ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી કાર હવામાં ફંગોળાઈ ગુલાંટ ખાઈ ગઈ હતી. કારમાં પરિવારના 2 બાળકો સહિત 10 સભ્યો હતા જેમાંથી 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજયાં છે જ્યારે અન્યને ગંભીર ઈજાઓ થઈ છે.
મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર કામરેજ જઈ રહ્યો હતો
ગત રાત્રી બનેલા આ અકસ્માતમાં મધ્યપ્રદેશનાઆ એક પરિવારના શ્રમિકો અકસ્માતનો ભોગ બન્યા છે. મ ધ્યપ્રદેશનો પરિવાર 1 મહિનાથી નવસારીમાં મજૂરીકામ કરતો હતો અને રાત્રે કામરેજ તરફ જઈ રહ્યો હતો જ્યાં નવસારીના ખટોદરા પહોંચતા સુધીમાં ઈકો કાર બે વખત બંધ પડી ગઈ હતી. તે બાદ તેણે હાઈવેની સાઇડમાં કરી પરિવાર કારમાં બેઠેલો હતો.
જ્યાં અચાનક માતેલા સાંઢની માફક આવેલા ટ્રકે કારને પાછળથી ટક્કર મારી દેતા કાર હવામાં ફગોળાઈ ગઈ હતી અને જે બાદ કારમાં બેઠેલા બાળકો સહિતના 10 લોકોને ગભીર ઈજાઓ થઈ હતી. જેમાંથી 2 લોકોના તો ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા તેમજ એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પરિવારમાં માતમ છવાયો
હોસ્પિટલના સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોએ કહ્યું કે કાર બંધ પડી જતાં તેણે સાઈડમાં કરી ડ્રાઈવર ફોન પર વાત કરતો હતો. કારમાં સવાર બધા જ લોકો સૂઈ રહ્યા હતા અચાનક જોરથી ધડાકો થયો અને લોહીલુહાણ હાલતમાં કારમાં સવાર લોકો રસ્તા પર પડી ગયા. ત્યાંથી એમ્બ્યુલન્સને ફોન કરી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જેમાંથી કોઈના ઘટના સ્થળે તો કોઈનું સારવાર દરમિયાન મોત થયું હાલ 5 લોકો સારવાર લઈ રહ્યા છે. અચાનક એક પરિવારના અને સાથે કામ કરતાં શ્રમિકોના મોત થવાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી છે. અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.