વિરાટ કોહલી સતત નવા રેકોર્ડ્સ પોતાના નામે કરે છે. કેપ્ટન અને ખિલાડી તરીકે તે ખૂબ જ સફળ છે અને સાથે જ એક વ્યકિત તરીકે તે પોતાના જીવનનો ભરપૂર આનંદ લે છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ચહલ ટીવી પર પોતાના સાથી ખિલાડી યુઝવેન્દ્ર ચહલની સાથે એક ઇન્ટરવ્યૂમાં ખાસ વાતચીત કરી. યુઝવેન્દ્ર ચહલ અને વિરાટ કોહલીનો આ વીડિયો BCCIએ પોતાની ઑફિશ્યલ વેબસાઇટ તથા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.
ચહલ સાથે વાતચીતમાં કોહલીએ કહ્યુ કે, ''હું ગ્રાઉન્ડમાં ભરપૂર આનંદ લઇ રહ્યો છું. માત્ર કેપ્ટન હોવાને કારણે હું કોઇપણ પ્રકારના પ્રેશરમાં રહેતો નથી. અમને ટીમ ઇન્ડિયાની પ્રતિનિધત્વ કરવાની તક મળી છે અને અમારા માટે જરૂરી છે કે જીવનની મજા માણીએ. આપણે જ્યારે પણ ક્યાંય મ્યૂઝિક વાગે તો નાચવુ જોઇએ અને પોતાના વિપક્ષી સાથીઓને પણ સાથે લેવા જોઇએ. તાજેતરના સમયમાં હું ઘણો ખુશ છુ જેથી જ્યારે સમય મળે ત્યારે ડાન્સ કરવાનું નથી ચૂકતો.''
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 120 રનની ઇનિંગ રમી. ટીમ ઇન્ડિયાએ આ મેચ પણ જીતી. વિરાટની આ ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ્સ પોતાના નામને કર્યા. વિરાટે પોતાની વનડે કરિયરની 41મી સેન્ચુરી કરી. કોહલીએ આગળ કહ્યુ કે, ''અમારું હંમેશાથી લક્ષ્ય રહ્યું છે કે ટોપ-3માંથી કોઈ એક મોટો સ્કોર કરે. રોહિત ઘણા સમયથી સારું કરી રહ્યો છ. મને જ્યારે તક મળે ત્યારે રન કર્યા છે. જોકે રોહિત અને શિખર આજે ના રમી શક્યા અને આજ કારણે મારું વિકેટ પર રહેવુ જરૂરી હતુ.''
આ સિવાય જ્યારે ચહલે પૂછ્યુ કે, બેટિંગ તથા બૉલિંગ દરમિયાન કંઇ વસ્તુ તેમને પ્રોત્સાહિત કરે છે ? તો વિરાટે કહ્યુ કે, ''મારું માઈન્ડસેટ ખૂબ સરળ હોય છે. હું ટીમ માટે 100 ટકા આપવા ઈચ્છુ છુ. બેટિંગ હોય કે પછી ફિલ્ડિંગ હું મારુ બેસ્ટ આપુ છે. આ માટે અનુશાસિત જીવનશૈલી જરૂરી છે. જો તમે પોતાનું 100 ટકા નથી આપી રહ્યા તો મારી નજરમાં ટીમ સાથે અન્યાય છે.''